Site icon Revoi.in

નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા,4.1ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી : નિકોબાર ટાપુઓમાં રવિવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 9 માર્ચે લગભગ 2.59 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.જોકે,આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

આ પહેલા 1 એપ્રિલે શુક્રવારે મોડી રાત્રે આંદામાન અને નિકોબારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

 

Exit mobile version