Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા,સિયાંગમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ

Social Share

ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના પાંગીન શહેરમાં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8.50 કલાકે ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, ભૂકંપ 10 કિમીની ઉંડાઈએ આવ્યો હતો.જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.જોકે, ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.આમ, લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

હજુ થોડા દિવસ પહેલા જ અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.3 રહી હતી.જોકે,આ ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

પ્રાપ્ત માહિતી મુજબ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા છે.રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ હતી.ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.