Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા:કારગિલ અને લદ્દાખની ધરતી ધ્રૂજી ઉઠી

Closeup of a seismograph machine earthquake

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી છે. છેલ્લા 24 કલાકમાં 11 વખત ભૂકંપના કારણે અહીં ધરતી ધ્રૂજી ગઈ છે. સતત આવતા ભૂકંપના કારણે હિમાલયના ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવે તેવી દહેશત છે. મંગળવારે સવારે 10.31 વાગ્યે ફરી એકવાર કાશ્મીર ઘાટીમાં ભૂકંપ આવ્યો. ભૂકંપના કારણે કારગિલ અને લદ્દાખની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતો. સોમવારે બપોરથી હિમાલયના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. સોમવારે રાત્રે જ ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પર્વતીય વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં શરૂ થયેલી ધરતીકંપોની હારમાળાનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. આ દિવસોમાં ભારત અને દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના સમાચારો આવતા રહે છે. હવે સોમવારે બપોરે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કુલ 4 જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પહાડો છે, જેના કારણે ભૂકંપ મોટી તબાહી સર્જી શકે છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી છે. તે જ સમયે, અન્ય ઘણા અહેવાલો અનુસાર, આ ભૂકંપ 5.7 તીવ્રતાનો હતો. આ સ્તરના ભૂકંપને ખતરનાક માનવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સોમવારે બપોરે 3.48 કલાકે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર લદ્દાખના કારગીલમાં પૃથ્વીની અંદર 10 કિલોમીટર અંદર હતું.

જ્યાં ભારતના હિમાલયના વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે. ચીનમાં સોમવારે રાત્રે પણ જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે ભારે વિનાશ થયો છે. સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સોમવારે મધ્યરાત્રિએ ઉત્તર-પશ્ચિમ ચીનના ઠંડા અને પર્વતીય પ્રદેશમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 116 લોકો માર્યા ગયા હતા, ચીનના રાજ્ય મીડિયાએ મંગળવારે જણાવ્યું હતું.આ ભૂકંપની તીવ્રતા 6.2 હોવાનું કહેવાય છે. આ ભૂકંપના કારણે ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં નોંધપાત્ર નુકસાન થયું છે. તે જ સમયે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શોધ અને બચાવ કાર્યમાં યુદ્ધના ધોરણે કામ કરવાની અપીલ કરી છે.