Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.9 ની તીવ્રતા નોંધાઈ

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.ભૂકંપ કટરાથી 61 કિમી પૂર્વમાં આવ્યો હતો અને તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 નોંધવામાં આવી હતી.બીજી તરફ ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. અત્યાર સુધી, કોઈપણ પ્રકારના નુકસાન વિશે કોઈ માહિતી નથી.

દેશમાં 24 કલાકમાં બીજી વખત ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે.જમ્મુ-કાશ્મીર પહેલા સોમવારે રાત્રે લગભગ 2 વાગ્યે રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી હતી.20 ઓગસ્ટે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રાત્રે 1.12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2ની તીવ્રતા નોંધવામાં આવી હતી.ભૂકંપનું કેન્દ્ર યુપીમાં લખનઉથી 139 કિમી ઉત્તરપૂર્વમાં બહરાઇચની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે