Site icon Revoi.in

ઉપવાસમાં ખવાતી આ વસ્તુ રોજીંદા આહારમાં પણ ખાવાથી થાય છે આટલા ફાયદાઓ

Social Share

 

ઉપવાસમાં મોરેયો જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. મોટા ભાગના લોકો સમગ્ર ઉપવાસના દિવસો દરમિયાન ફરાળી ખોરાક ખાતા હોય છે પવાસમાં ખાસ કરીને દરેક લોકો રાજગરો, લાબુદાણા કે મોરૈયોમાંછથી બનતી વાનગીઓ આરોગે છે, જે ઉપવાસમાં તો ખાઈ શકાય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે તે મોરૈયો ઉપવાસ સહીત રોજેરોજ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે.

કારણ કે  મૌરૈયો પચી જવામાં સરળ હોય છે અને તેને ખાવીથી પેટ ભરાય પણ જાય છે. એટલે જો ચોખા ન ખાવા હોય તો તેના ઓપ્શનમાં તમે મોરૈયોનો ખાસ ઉપયોગ કરી શકો છો.તેના થી વજન વધવાની શક્યતાઓ રહેતી નથી.

મોરૈયાને રાઈસ અથવા ઘેંશની જેમ બનાવવામાં આવે છે. તેમાં એમિનો એસિડની માત્રા પુશ્કળ પ્રમાણમાં હોય છે.મોરૈયાને વધુને વધુ સ્વાદિષ્ટ બનાવવા માચટે તેમાં દૂધી, બટાકા રિંગણ વગેરે ઉમેરીને ખાવાથી શાકભઆજીના તત્વો પણ શરીરને મળી રહે છે,

મોરૈયો ખાવાથી વજન ઓછુ કરતા લોકોને ફાયદો થોય છે, તે ખાવાથઈ પેટ ભર્યાનો એહેસાસ થાય છે પરિણામે વધુ ભુખ નથી લાગતી અને જમવા પર કંટ્રોલ થાય છે જેને લઈને વેીટ લોસ કરવા માટે તે ખૂબ જ ફાયદા કારક છે.

ઉપવાસ કરવાથી જે રીતે શરીરને ડિટૉક્સિફાઇથાય છે તેજ રીત ભોજનમાં તેનો ઉપયોગ કરવાથી તે ફાયદો કરાવે છે.ખાસ કરીને પોષક તત્ત્વોથી ભરપૂર ફરાળમાં વપરાતાં અનાજ શરીરમાંથી ઝેરીલાં તત્ત્વો બહાર ફેંકવામાં ઉપયોગી છે.

મોરૈયાના સેવન કરવાથી શરીરને પુરતા પ્રમાણમાં એનર્જી પણ મળી રહે છે,જેથી સવારે નાસ્તામાં જો તમે તેનો ઉપયોગ કરો છો તો દિવસ દરમિયાન તમને થાક કે કમજોરી લાગતી નથી.હાઈ પ્રોટીન ઘરાવતા મોરૈયાની તમારા શરીર પર સકારાત્મક અસર પડે છે. ઍસિડિટી અને ગૅસની સમસ્યાથી છુટકારો થતાં શરીર હળવુંફૂલ થઈ જાય છે.

મોરૈયોમાં મોટા પ્રમાણમાં ફાઇબર, કૅલરી, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ  સમાયેલા હોય છે. સો ગ્રામ અનાજમાં અંદાજે ૨૫૦થી ૩૦૦ કૅલરી પ્રાપ્ત થાય છે.તેમાં પ્રોટીનની માત્રા ૨.૫થી ૨.૭ની વચ્ચે હોય છે