- 72 વર્ષની વયે પણ પીએમ મોદીની તંદુરસ્ત
- તેમનું રુટીન બનાવે છે તેમને ફિટ
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી તેઓ સતત કાર્ય કરતા જ જોવા મળ્યા છે ક્યારેય પીએમ મોદીએ આરામ કર્યો હોય તેવું આપણે નથી સાંભળ્યું. પીએમ મોદી દિવસ રાત કાર્યો કરે છે ,અનેક દેશોની મુસાફરી દરમિયાન પણ તેઓ સમયનો ઉપયોગ કરે છે અને આજે 72 વર્ષમાં પ્રવેશ કર્યા બાદ પણ પીએમ મોદીની તંદુરસ્તી બરકરાર છે તેનું કારણ છે તેમનું રુટીન અને સતત કાર્યશીલ રહેવાલી ટેવ
પીએમ આ ઉંમરે પણ તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે અને તેમના વ્યસ્ત સમયપત્રકમાં પણ ફિટ રૂટિનનું પાલન કરે છે.યોગાથી લઈને અનેક કસરતો તથા ખાણી પીણીમાંપુરતું ધ્યાન રાખે છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડાયટ ઘણી વખત હેડલાઈન્સમાં પોતાનું સ્થાન બનાવી ચુક્યા છે. શાકાહારી ભોજનના શોખીન પીએમ મસાલેદાર ખોરાકથી દૂર રહે છે. તેમાં પણ ગુજરાતી ફૂડ અને ખીચડી વડાપ્રધાનનું ફેવરિટ ફૂડ છે. તેઓ તેમના ખોરાકમાં દહીંનો ચોક્કસપણે સમાવેશ કરે છે. આ સિવાય તેને હિમાચલ પ્રદેશના પરાઠા અને મશરૂમ પણ પસંદ છે.
પીએમ મોદી ક્યારેય મોડા ઉઠ્યા નથી,તેઓ દરરોજ સવારે વહેલા જાગે છે,અને પોતાના દિવસની શરૂઆત યોગથી કરે છે.તેઓ ગમે ત્યા હોય પરંતુ યોગાસન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર તેમની દિનચર્યાનો મહત્વપૂર્ણ ભાગ છે.તેઓ કદીએ આ કરવાનું ચૂકતા નથી અને આટલી વયે પણ તેમની ત્વચા પર જોરદાર તાજગી અને ચમક જોઈ શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વ્યસ્ત કાર્યક્રમમાં ધ્યાન કરવા માટે ચોક્કસ સમય કાઢે છે. અમુક સમયે કાર્યક્રમો દરમિયાન પણ, જ્યારે પણ તેમને સમય મળે છે, તે ચોક્કસપણે ઊંડા શ્વાસ લેવાની કસરત પણ કરે છે.આ સહીતે તેઓએ વાંચનમાં રસ કેળવ્યો છે તેઓ સકારાત્મક ઉર્જા પ્રદાન કરતા આધ્યાત્મિક પુસ્તકો વાંચતા રહે છે.તેઓ પોતે પણ ખૂબ આધ્યાત્મિક છે.ભગવાનમાં અપાર શ્રદ્ધા ઘરાવતું વ્યક્તિત્વ છે જે બાબત તેમને હંમેશા સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે.એક મીડિયા સાથએની વાતચીતમાં તેમણે જણઆવ્યું હતું તકે તેઓ સાડા ત્રણ કલાકથી વધુ ઊંઘ નથી લેતા .તેઓ દરરોજ સવારે 5 વાગે ઉઠે છે.અને આજે એટલે જ આટલુ કરીન ેતેઓ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે તેમની જે તાજગી અને જીવન જીવવનાો ઉત્સાહ અને સેવાભાવનો સ્વભાવ છે તે આજના 27 વર્ષના યુવાવે પણ શરમાવે છે,72 વર્ષની આ સ્ફુર્તી ભલભલાને શરમાવી દે છે.