Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકરે બોત્સવાનાના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત – સંર્રક્ષણ,વેપાર અને રોકાણ અંગે થઈ ખાસ ચર્ચા

Social Share

દિલ્હીઃ- બોત્સ્વાનાના વિદેશ મંત્રી લેમોગાંગ ક્વાપે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવા છ દિવસની મુલાકાતે સોમવારે ભારત આવ્યા હતા.બોત્સ્વાનાના વિદેશ પ્રધાન લેમોગાંગ ક્વાપેનું તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે ભારત આગમન પર હાર્દિક સ્વાગત  કરવામાં આવ્છેયું . આ મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.

વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે ગુજરાતના એકતાનગર, કેવડિયામાં બોત્સ્વાના વિદેશ મંત્રી લેમોગાંગ ક્વાપે સાથે મુલાકાત કરી અને સંરક્ષણ અને તાલીમ સહિતના વેપાર, રોકાણો અંગે ચર્ચા કરી. કેવડિયાના એકતાનગરમાં જયશંકર સાથે વિદેશ મંત્રીની આ પ્રથમ મુલાકાત હતી.બેઠક દરમિયાન, બંને પ્રધાનોએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી અને આ સંબંધોની આરોગ્ય, વેપાર અને રોકાણ, સંરક્ષણ, આર્થિક સહયોગ, તાલીમ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં ચર્ચા કરી હતી.

સંયુક્ત રાષ્ટ્ર જેવા બહુપક્ષીય મંચોમાં સહકાર સહિત પરસ્પર ચિંતાના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રવર્તમાન સંસ્થાકીય મિકેનિઝમને ફરીથી મજબૂત બનાવવા અને મંત્રી સ્તરીય સંયુક્ત આયોગની બેઠક સહિતની વહેલી તકે પરસ્પર અનુકૂળ તારીખો પર આ બેઠકો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે બોત્સ્વાનામાં 6000 થી વધુ ભારતીયો રહે છે.

જયશંકરે ટ્વીટ કર્યું કે એકતાનગર કેવડિયામાં પ્રથમ વખત વિદેશ મંત્રીનું આયોજન કરી રહ્યું છે. બોત્સ્વાનાના એફએમ લેમોગાંગ ક્વાપે સાથે ઉષ્માભરી મુલાકાત. ખાસ કરીને ગુજરાતમાં મળવા માટે યોગ્ય છે, કારણ કે અમારા સંબંધોમાં હીરા અને ફાર્મા ખૂબ જ મહત્વપૂર્ણ છે.