અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે બ્લેક ફંગસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ દર્દીઓ માટે 5800થી વધારે ઈન્જેકશન ફાળવવામાં આવ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. તેમજ છતા કોરોનાની બીજી મ્યુકોરમાઈકોસીસની સારવાર માટે વપરાતા એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનની પણ ભારે અછત ઉભી થઈ છે. અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત એલજી હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેક્શન મળશે તેવા સરકારી પરિપત્ર બાદ પણ દર્દીઓના પરિવારજનોને ઈન્જેકશન નહીં મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન એલજી હોસ્પિટલ બહાર ઈન્જેક્શન ન હોવાનું બોર્ડ લાગાવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની 8 હોસ્પિટલના માધ્યમથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન દર્દીઓ સુધી પહોંચાડવાની રણનીતિ ઘડવામાં આવી હતી. સરકાર તરફથી અમદાવાદમાં સોલા સિવિલ અને SVP હોસ્પીટલમાંથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન મળશે તેવી જાહેરાત કરાઈ હતી. પરંતું ત્યાર બાદ એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનના વિતરણ માટે SVP હોસ્પિટલના બદલે એલજી હોસ્પિટલને સરકારે અધિકૃત કરી હતી. એલજી હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેક્શન મળશે તેવા સરકારી પરિપત્ર બાદ પણ ઈન્જેકશન માટે દર્દીના એલજી હોસ્પિટલ પહોચ્યા હતા. જો કે, ઈન્જેકશનનો જથ્થો નહીં હોવાનું જાણીતી પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
મ્યુકોરમાઈકોસીસના એક દર્દીને 60 થી લઈ 100 જેટલા એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનની જરૂર સારવાર માટે પડે છે. એલજી હોસ્પિટલ પાસે માત્ર 1200 જ ઇન્જેકશનનો જથ્થો હોવાનો AMCના મેડિકલ ઓફિસરે દાવો કર્યો હતો. તેમજ એલજીમાં મ્યુકોરમાઈકોસીસની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે જ 1200 ઈન્જેકશન જરૂરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ 300 જેટલા મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.