1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજના મામલે રાજકારણ ગરમાયું, તકેદારી આયોગ સમક્ષ મામલો પહોંચ્યો

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત બનતા હાલ વાહન વ્યવહાર માટે બંધ છે. જો કે, આ બ્રિજને લઈને મનપાનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન સમગ્ર મામલો તકેદારી આયોગ સમક્ષ પહોંચ્યો છે. કોંગ્રેસે સમગ્ર મામલે રજુઆત કરી હતી. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યની વડી અદાલતમાં અરજી કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે […]

અમદાવાદના S G હાઇવે પર બેફામ ઝડપે આવેલી કારે ટક્કર મારતા એક્ટિવાચાલકનું મોત

અમદાવાદઃ શહેરના બેફામ ગતિએ દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધા રહ્યું છે. શહેરના એસજી હાઇવે પર હાઈકોર્ટ નજીક સોલા ઓવર બ્રિજ પર કારચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ વિજય ઠાકરના પુત્ર જપન ઠાકરનું મૃત્યુ થતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.  બેફામ ઝડપે […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર દબાણો ઊભા ન થાય તે માટે AMCએ ગોઠવ્યાં સિક્યુરિટીના જવાનો

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ શહેરીજનો માટે ફરવાનું ડેસ્ટીનેશન બની ગયું છે. ત્યારે રિવરફ્રન્ટ પર નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓ દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દબાણો ન થાય તે માટે મ્યુનિ.ના સત્તાધિશોએ સિક્યુરિટીના જવાનોને ગોઠવી દીધા છે. હવે રિવરફ્રન્ટ પર દબાણો ન થાય તેની જવાબદારી સિક્યુરિટીના જવાનોની રહેશે.જો કે એવુ કહેવાય છે. કે, મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા […]

અમદાવાદના હાટકેશ્વર બ્રિજની તપાસ સુરતની કથિત બ્લેકલિસ્ટ કંપનીઓને સોંપાતા વિવાદ

  અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો  હાટકેશ્વર બ્રિજ  5 વર્ષમાં જ જર્જરિત બની જતાં બ્રિજના કામમાં યોગ્ય મટિરિયલનો ઉપયોગ ના થયાનો તેમજ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માગણી કરવામાં આવી હતી. ત્યારે મ્યુનિ.કમિશનરે તપાસ માટે […]

અમદાવાદમાં IPL મેચના લીધે ક્યા રસ્તાઓ બંધ રહેશે? ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા જાણો,

અમદાવાદઃ  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ઓપનિંગ સેરેમની ગુજરાતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાલે 31મીએ યોજાશે. જેને લઈને સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પહેલી મેચ ગુજરાત અને ચેન્નઈ વચ્ચે યોજાશે. જેને લીધે બન્ને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવવાના હોવાથી પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. […]

અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ મોડીરાત્રે વિવિધ વિસ્તારોમાં સરકાર વિરૂદ્ધ બેનરો લગાવ્યાં

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં વડાપ્રધાનની વિરૂદ્ધમાં બેનર્સ લગાવતા પોલીસે તમામ બેનર્સ હટાવીને આપ’ના કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી. આ મુદ્દે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે બબાલ પણ થઈ હતી. દરમિયાન આમ આદમી પાર્ટીએ અમદાવાદમાં પણ જુદા જુદા વિસ્તારોમાં બેનરો લગાવતા પોલીસ અને મ્યુનિનું તંત્ર પણ દોડતું થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આમ […]

અમદાવાદના માણેકચોકના બુલિયન ગોલ્ડના વેપારીનું 25 કિલો સોનું લઈને કર્મચારી નાસી ગયો

અમદાવાદઃ શહેરમાં સોનાના બુલિયન વેપારીને પોતાના જ કર્મચારી પર વિશ્વાસ રાખવો ભારે પડ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા અને માણેકચોકમાં સોનાનો બુલિયન વેપાર કરતા વિજય ઠુમર નામના વેપારીએ પોતાના વિશ્વાસુ કર્મચારી યશ પંડ્યાને રૂપિયા 13.50 કરોડની કિંમતના 25 કિલો સોનાની ડિલિવરી આપવા માટે મુંબઈ મોકલ્યો હતો. પરંતુ કર્મચારી તેના સાગરિતો સાથે સોનું લઈને ગુમ થઈ […]

અમદાવાદના 5 વર્ષમાં જર્જરિત બનેલા હાટકેશ્વર બ્રિજની તપાસ માટે આખરે કમિટીની રચના

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવેલો હાટકેશ્વર બ્રિજ માત્ર 5 વર્ષમાં જ જર્જરિત બની જતાં મ્યુનિ.ના અધિકારીઓ સામે જ આક્ષેપો થઈ રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરાયાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે. બ્રીજના લેબ પરિક્ષણમાં પણ વિપરિત અહેવાલો મળ્યા છે. ત્યારે હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા એક કમિટીની રચના […]

અમદાવાદમાં જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી કરનારા સામે ઝૂંબેશ, 100 જેટલી ટીમો બનાવાઈ

અમદાવાદઃ  શહેરના મ્યુનિ. કમિશનર એમ. થેંન્નારેસન સુરતની જેમ અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. શહેરમાં અનેક લોકો જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરતા હોય છે. જેમાં કેટલાક વેપારીઓ તો પોતાની દુકાન પાસે જ કચરો ફેંકતા હોય છે. જ્યારે ઘણાબધા લોકો પોતાના ઘર પાસે ગાય અને કૂતરા માટે રોટલીઓ અને એઠવાડનો એક જ જગ્યાએ ઢગલો […]

અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ઉદ્ઘાટન કર્યું

અમદાવાદઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી, જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આજે અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું. તેમના સંબોધનમાં જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ જણાવ્યું હતું કે આ નવી એર કનેક્ટિવિટી વેપાર અને વાણિજ્ય માટે નવી તકો લાવશે અને યુકેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરશે. અમદાવાદમાં કનેક્ટિવિટી પર બોલતા મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ […]