1. Home
  2. Tag "ahmedabad"

ગુજરાતમાં સૈન્ય દળોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન, પૂરમાં ફસાયેલા લોકોને બચાવ્યા

ગાંધીનગર, 24 જુલાઈ, 2026 – દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે બચાવ કામગીરીમાં સૈન્ય દળો પણ સતત ખડે પગે રહેતા જોવા મળી રહ્યા છે. ભારતીય સૈન્યના સધર્ન કમાન્ડના બાહોશ જવાનોએ હોડી મારફત અંતરિયાળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને ત્યાં ફસાયેલા લોકોને બચાવવાની પ્રશંસનીય કામગીરી […]

અમદાવાદમાં ફરતા દીપડાને અંગે વનવિભાગે નાગરિકોને કરી ખાસ અપીલ

અમદાવાદ, 22 જુલાઈ 2026: અમદાવાદ શહેરમાં તાજેતરમાં દીપડાની હિલચાલને લઈને વન વિભાગ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. ઘુમા વિસ્તારમાં દીપડો સીસીટીવીમાં કેદ થયા બાદ વન વિભાગ સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું છે, ત્યારે નાગરિકોને ગભરાયા વગર માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદના સામાજિક […]

અમદાવાદઃ હૃદય સુધી ફેલાયેલા કિડની કેન્સરની જટિલ સર્જરી કરીને ડૉક્ટરોએ કર્યો ચમત્કાર

અમદાવાદ, 21 જુલાઈ 2026: અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સર્જનોની સંયુક્ત ટીમે એક અત્યંત દુર્લભ અને જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને 50 વર્ષીય મહિલાનો જીવ બચાવી લીધો છે. કિડનીનું કેન્સર વધીને લોહીની નસો મારફતે સીધું હૃદય સુધી પહોંચી ગયું હતું, જેને આઠ કલાક લાંબી સર્જરી કરીને સફળતાપૂર્વક બહાર […]

દિલ્હી-દમણ ફ્લાઈટને ખરાબ હવમાનને કારણે અમદાવાદ ડાયવર્ટ કરાઈ

અમદાવાદ, 20 જુલાઈ 2026: દિલ્હીથી દમણ આવતી એલાયન્સ એરની ફ્લાઇટ 9I-811 સોમવારે સવારે ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા (લો વિઝિબિલિટી)ને કારણે દમણ એરપોર્ટ પર લેન્ડિંગ કરી શકી નહોતી. પાયલોટે સુરક્ષિત લેન્ડિંગ માટે બે વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે આ ફ્લાઇટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ સોમવારે […]

અમદાવાદ: ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત, 15થી વધુ ઘાયલ

અમદાવાદ, 18 જુલાઈ 2026: અમદાવાદના મહમૂદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં આઠ લોકોનાં મોત થયાં છે અને અન્ય 15થી વધુ લોકો ઘાયલ થયા છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આજે બપોરે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગાત્રાડ રોડ પર આવેલી ‘મહમૂદપુરા ટેલેન્ટ ફાયરવર્કસ’ ફેક્ટરીમાં અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. ફટાકડાની […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર મેઘરાજાએ કર્યા અમીછાંટણા

અમદાવાદ, 16 જુલાઈ 2026 : Rain gods showered blessings during Lord Jagannath’s Rath Yatra શહેરમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા […]

ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ

અમદાવાદ, 10 જુલાઈ 2026: Lord Jagannath’s 149th Rath Yatra સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ શહેર આજે ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘હરિ બોલ’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું છે. અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દિવ્ય દર્શન […]

લોકભવન ખાતે રક્તદાન શિબિરમાં NCC કેડેટ્સે ભાગ લીધો

અમદાવાદ, 15 જુલાઈ, 2026 – ગ્રુપ હેડક્વાર્ટર NCC, અમદાવાદના નેજા હેઠળ, NCC કેડેટ્સે 15 જુલાઈ 2026 ના રોજ લોકભવન, ગાંધીનગર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સામુદાયિક સેવા અને માનવતાવાદી મૂલ્યો પ્રત્યે NCC ની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. માનનીય રાજ્યપાલશ્રીએ NCC કેડેટ્સ સાથે વાતચીત કરી હતી, તેમના યોગદાનની પ્રશંસા કરી હતી […]

અમદાવાદના ઈન્દિરા બ્રિજની બન્ને બાજુ ત્રણ લેનનો કેબલસ્ટેન્ડ બ્રિજ બનાવાશે

અમદાવાદ, 15 જુલાઈ, 2026 :  A three-lane cable-stayed bridge will be constructed on both sides of the Indira Bridge શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળે છે. અમદાવાદ – ગાંધીનગર વચ્ચે પણ ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ-કોબા-ગાંધીનગર હાઈવે પર આવેલા 43 […]

અમદાવાદના માધુપુરામાંથી શંકાસ્પદ મરચું અને હળદરનો જથ્થો સીઝ કરાયો

અમદાવાદ, 15 જુલાઈ, 2026 :  Stock of suspicious chili and turmeric seized. રાજ્યમા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે એએમસીના ફુડ વિભાગ દ્વારા શહેરના માધૂપુરાના ઢાળ વિસ્તારમાં એક મસાલા બનાવતા એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળ જણાતા અંદાજિત 2 હજાર કિલો જેટલો શંકાસ્પદ મરચું, હળદર અને ધાણાજીરુનો પાવડરનો જથ્થો જપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code