1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં મતદાનના દિવસે અસહ્ય ગરમીને લીધે તમામ બુથ પર મેડિકલ ટીમ પણ હાજર રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે. મતદાનના દિવસે તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બપોરના ટાણે મતદાનને ગરમીને લીધે અસર પડશે. એટલે સવારે 10 વાગ્યા સુધીમાં વધુ મતદાન થાય તે જરૂરી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ […]

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1492 કેસ નોંધાયા,

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યા બાદ છેલ્લા બે-ચાર દિવસથી થોડી રાહત મળી છે. હાલ મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયુ છે. જો કે બે-ત્રણ દિવસમાં ફરીવાર તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ગરમીને કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધતા જાય છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ગત એક સપ્તાહ દરમિયાન વાયરલ ઇન્ફેક્શનના 1492 કેસ નોંધાયા હતા. […]

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાં સામે ક્ષત્રિય નેતાએ ગુજરાત હાઈકોર્ટમાં કરી રિટ,

અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનર દ્વારા સીઆરપીસી 144 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ભેગા મળીને વિરોધ કરવા, બેનરો પ્રદર્શિત કરવા કે કાળા વાવટા ફરકાવવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ જાહેરનામાં સામે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. ત્યારબાદ પોલીસ કમિશનરના જાહેરનામાં સામે રાજપૂત સમાજના અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે, […]

અમદાવાદમાં એક સાથે 35 દીક્ષાર્થીઓએ સંસારની મોહ-માયા છોડીને લીધી દીક્ષા,

અમદાવાદઃ  શહેરના રિવરફ્રન્ટ પર ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ ઊજવાયો હતો. દીક્ષા દાનેશ્વરી પૂ. યોગતિલકસૂરીજી મ. આદિ 400થી વધુ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં સોમવારે  શહેરના ઇતિહાસમાં પ્રથમવાર 35 મુમુક્ષુઓએ પ્રવ્રજયા ગ્રહણ કરીને પ્રભુ વીરના પંથેચરણ મૂકયા છે.  રીવરફ્રન્ટ પર સવારે 5.31  કલાકે પૂજયો અને મુમુક્ષુઓનો મંડપ પ્રવેશ ત્યારબાદ વિજય તિલક, સવારે 7.02 કલાકે વીરના વારસ વીરની વાટે […]

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવાશે

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ  ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિક સતત વધતો જાય છે. જેમાં ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ-1 પર તો ફ્લાઈટ્સના લેન્ડિગ વધુ હોવાને લીધે પ્રવાસીઓના એકસાથેના ધસારાને પહોંચી વળવા માટે કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટસને ઈન્ટરનેશન એરપોર્ટ ટર્મિનલ-2 પર ઓપરેટ કરવામાં આવી રહી છે. તેથી પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવાશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના […]

અમદાવાદના કોટ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા દુર કરવા એએમસી 333 કરોડનો ખર્ચ કરશે

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં દુષિત પાણીની ફરિયાદો ઊઠી છે. વર્ષો જુની પાણીની લાઈનો સડી ગઈ છે. ગટર અને પીવાનું પાણી એક થતું હોવાનું પણ તંત્રના ધ્યાનમાં આવ્યું છે. આથી કોટ વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનો બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેના માટે 333 કરોડના ટેન્ડરો જારી કરવામાં આવશે પરંતુ હાલ લોકસભાની ચૂંટણીને લીધે આચારસંહિતા […]

અમદાવાદમાં ગરમી વધતા પાણીના વપરાશમાં પણ પ્રતિદિન 10થી 12 કરોડ લિટરનો વધારો,

અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીમાં વધારો થતાં શહેરમાં પાણીનો વપરાશ પણ વધી રહ્યો છે. સામાન્યરીતે શહેરમાં રોજના 166 કરોડ લિટર પાણીનો વપરાશ થતો હોય છે. પરંતુ ગરમી વધી જતાં આ વપરાશ રોજના 10થી 12 કરોડ વધી 178 કરોડ લિટરથી 180 કરોડ લિટર સુધી પહોંચી ગયો છે. […]

અમદાવાદના અસારવા વિસ્તારમાં રેલવેની દીવાલ ધસી પડતાં બેનાં મોત, ત્રણ ઘવાયા

અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દીવાલ એકાએક ધસી પડતા અફડા-તફડી મચી ગઈ હતી. અને દીવાલના કાટમાળમાં પાંચ જણા દબાયા હતા. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને દટાયેલા પાંચેયને બહાર કાઢ્યા હતા, જેમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. […]

બુલેટ ટ્રેનથી જવાશે દિલ્હીથી અમદાવાદ,ક્યાં-ક્યાં હશે સ્ટેશન, સમજો આખો પ્લાન અને રુટ

નવી દિલ્હી: ભાજપે પોતાના ઘોષણાપત્રમાં દેશના ચારેય ક્ષેત્રો પૂર્વ, ઉત્તર અને દક્ષિણ માટે બુલેટ ટ્રેન ચલાવવાનો વાયદો કર્યો છે. હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની યોજના પર કામ ચાલી રહ્યું છે. તેના સિવાય રેલવે હવે દિલ્હીથી અમદાવાદની બુલેટ ટ્રેન ચલાવવાનો પ્લાન પણ તૈયાર કરી રહ્યું છે. આ ગુજરાતની બીજી હાઈસ્પીડ ટ્રેન હશે. આ બુલેટ ટ્રેન […]

અમદાવાદના જમાલપુર ફુલ બજારમાં ફુલોની આવક વધતાં ભાવમાં થયો 30 ટકાનો ઘટાડો,

અમદાવાદ:  ઉનાળાની સીઝનમાં શાકભાજી, ફળફલાદી અને ફુલોની આવકમાં ઘટાડો થતો હયો છે. પરંતુ રામનવમીના પર્વને લીધે ફુલોની માગ કરતા વધુ આવક થતાં ફુલોના ભાવમાં સરેરાશ 30 ટકાનો ઘટાડો કરવાની વેપારીઓને ફરજ પડી હતી. અસહ્ય ગરમીને લીધે ફુલોને વધુ સમય રાખી શકાતા નથી. અને વેપારીઓએ ખેડુતો પાસેથી જે માલ ખરીદ્યો હોય તેનું તે દિવસે વેચાણ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code