અમદાવાદના અસારવા વિસ્તારમાં રેલવેની દીવાલ ધસી પડતાં બેનાં મોત, ત્રણ ઘવાયા
અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દીવાલ એકાએક ધસી પડતા અફડા-તફડી મચી ગઈ હતી. અને દીવાલના કાટમાળમાં પાંચ જણા દબાયા હતા. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને દટાયેલા પાંચેયને બહાર કાઢ્યા હતા, જેમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. […]