1. Home
  2. Agency News

Agency News

સરકાર અને સીજેપી વચ્ચે સમાધાનઃ જંતરમંતર ઉપર વિદ્યાર્થી આંદોલનનો અંત

નવી દિલ્હી, 25 જુલાઈ, 2026: સરકાર અને સીજેપી વચ્ચે અંતે આજે શનિવારે સાંજે સમાધાન થઈ ગયું હતું. તેને પગલે જંતરમંતર ઉપર વિદ્યાર્થી આંદોલનનો અંત આવ્યો હતો. સીજેપીના આગેવાનોએ સરકાર સાથેની પત્રકાર પરિષદમાં અને ત્યારબાદ જંતરમંતર ઉપર પહોંચીને આંદોલન સમાપ્ત થયું હોવાની જાહેરાત કરી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે સીજેપીના આ આગેવાનોએ કેટલીક ગર્ભિત ચેતવણીઓ પણ ઉચ્ચારી […]

હિમાચલમાં પસાર થઈ રહેલી ટાટા સૂમો ઉપર વિશાળ પથ્થર પડ્યો, 13 મુસાફર દબાઈ ગયા

શિમલા, 24 જુલાઈ, 2026 – હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર યથાવત્ છે. આજે શુક્રવારે અહીં ચંબા જિલ્લાના પાંગી-ઉદયપુર માર્ગ પર કડૂ (કાહુડૂ) નાળા પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો. અહીં પહાડ પરથી એક વિશાળ ખડકનો હિસ્સો તૂટી પડ્યો જે સીધો એક સૂમો ગાડી ઉપર પડ્યો હતો જેને કારણે તેમાં મુસાફરી કરી રહેલા ડ્રાઈવર સહિત 13 લોકોના […]

રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સંદર્ભે સરકારે રાજ્યસભામાં દાખલ કર્યો અગત્યનો ખરડો, જાણો વિગતો

નવી દિલ્હી, 24 જુલાઈ, 2026 – રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાન ફરજિયાત કરવા અને તે ગાવામાં અવરોધ ઊભો કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈ કરતો ખરડો રાજ્યસભામાં દાખલ કરવામાં આવ્યો છે. સંસદના ચોમાસુ સત્રના પ્રારંભથી ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. નીટ પરીક્ષા પેપર લીકના મામલે કોક્રોચ જનતા પાર્ટીના દેખાવો અને તે વિશે વિપક્ષો દ્વારા સંસદમાં […]

સુપ્રીમ કોર્ટે ભોજશાળા સંકુલ પાસે નમાઝ માટે જગ્યા ફાળવવા આદેશ આપ્યો

નવી દિલ્હી, 14 જુલાઈ, 2026: ભોજશાળા કેસ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને ધૈર્ય રાખવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે ભોજશાળાનો આ મામલો સંવેદનશીલ છે. અદાલતે જણાવ્યું કે તે આ મામલાની રોજિંદી સુનાવણી કરવા અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. દેશની સર્વોચ્ચ અદાલત મધ્ય પ્રદેશ હાઈકોર્ટના એ આદેશને […]

રથયાત્રાના બે દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના વધુ પાંચ આતંકીની સિદ્ધપુરમાં અટકાયત

પાટણ, 14 જુલાઈ, 2026: રથયાત્રાના બે દિવસ પહેલાં ગુજરાતમાં કેટલાક વધુ આતંકીઓ ઝડપાયા છે. પ્રારંભિક અહેવાલ મુજબ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ આશરે 5 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ (JeM)ના નેટવર્ક અંગે તપાસ દરમિયાન નવી કડીઓ મળ્યા બાદ એટીએસ દ્વારા આ પાંચની પૂછપરછ માટે […]

શેખ હસીના બાંગ્લાદેશ પાછા તો ફરશે, પણ તેમને ડર છે કે…

નવી દિલ્હી, 10 જુલાઈ, 2026 – Sheikh Hasina will return to Bangladesh બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મોટી જાહેરાત કરી છે. તેમણે ઘોષણા કરી છે કે તેઓ અવામી લીગના અન્ય નિર્વાસિત નેતાઓ સાથે ડિસેમ્બરની આસપાસ સ્વેચ્છાએ બાંગ્લાદેશ પરત ફરવાનો ઈરાદો ધરાવે છે, પછી ભલે સ્વદેશ જવાથી તેમને ધરપકડ કે નુકસાનનો સામનો કરવો પડે. એક ઈન્ટરવ્યુમાં શેખ […]

મેલબોર્ન ક્રિકેટ મેદાન પર પીએમ મોદીએ કઈ મહિલા ખેલાડીના બેટ ઉપર સહી કરી આપી?

મેલબોર્ન, 10 જુલાઈ, 2026 – મેલબોર્ન ક્રિકેટ મેદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહિલા ખેલાડીના બેટ ઉપર સહી કરી રહ્યા હોવાની તસવીરો વાયરલ થયા પછી અનેક લોકો એ જાણવા ઉત્સુક છે કે એ મહિલા ખેલાડી કોણ છે? વાસ્તવમાં, ઑસ્ટ્રેલિયા પ્રવાસના પોતાના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘણા ખેલાડીઓ […]

રામ મંદિરઃ દાનની ગણતરીમાં રોકાયેલા 23 કર્મચારીઓએ આપ્યું સામૂહિક રાજીનામું

અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના મામલા વચ્ચે દાનની ગણતરી કરનારા 23 કર્મચારીઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું છે. કર્મચારીઓ કામ પર ન પહોંચવાને કારણે ગુરુવારે (9 જુલાઈ 2026) માત્ર 13 ગણનાકર્મીઓ પાસે ચઢાવાની ગણતરી કરાવવામાં આવી હતી. અચાનક બનેલી આ ઘટનાથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, ભારતીય સ્ટેટ બેંક અને કર્મચારીઓની […]

શિક્ષકોને યોગી સરકારની મોટી ભેટ, ટર્મ ઈન્સ્યોરન્સ અને સામાજિક સુરક્ષા ગેરંટી

લખનૌ, 9 જુલાઈ, 2026 – ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના શિક્ષણ જગત માટે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના આશરે 10 લાખ શિક્ષકો, શિક્ષણ મિત્રો, અનુદેશકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને એક મજબૂત સામાજિક સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ઉત્તર પ્રદેશ ભારતનું પહેલું એવું રાજ્ય બન્યું છે, જેણે પોતાના શિક્ષકોને 1 કરોડ […]

એર માર્શલ પી. વી. શિવાનંદે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગર, 8 જુલાઈ, 2026: એર માર્શલ પી. વી. શિવાનંદે તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ એર માર્શલ પી. વી. શિવાનંદ સોમવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. ગાંધીનગરસ્થિત લોકભવન ખાતે યોજાયેલી આ એક ઔપચારિક મુલાકાત હતી. મળતી માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code