1. Home
  2. Agency News

Agency News

ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: દેશ વિરુદ્ધ ષડયંત્ર રચતા બે યુવકોની ધરપકડ, ISISની વિચારધારાથી હતા પ્રભાવિત ગાંધીનગર, 21 એપ્રિલ, 2026 – ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ મોટી કાર્યવાહી કરતા દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ બે યુવકોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ભારતમાં હુમલા […]

ગુંડાગીરી અને મારામારીના કેસમાં યુસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ

મુંબઈ, 21 એપ્રિલ, 2026 – ગુંડાગીરી અને મારામારીના કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના ભાયખલ્લા વિસ્તારમાં પઠાણના સસરા, સાળા તથા અન્ય લોકોએ મળીને એક વ્યક્તિ સાથે સાવ નજીવી બાબતમાં મારામારી કરી હતી. મીડિયા અહેવાલ અનુસાર, મુંબઈમાં પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ યુસુફ […]

TCS નાસિક વિવાદ: પીડિતાએ વર્ણવી આપવીતી; હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી અને છેડતીનો ઘટસ્ફોટ

નાસિક, 21 એપ્રિલ, 2026-  TCS નાસિક વિવાદમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે અન્ય એક પીડિતાએ એફઆઈઆર કરાવતી વખતે પોતાની આપવીતી વર્ણવી છે. આ મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, ટીસીએસના મુસ્લિમ કર્મચારીઓ અને સિનિયર મુસ્લિમ અધિકારીઓ માત્ર હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા હતા એટલું જ નહીં પરંતુ શારીરિક છેડતી પણ કરતા હતા. અમુક […]

છત્તીસગઢમાં વિમાન પહાડી સાથે ટકરાયું, બંને પાયલટના મૃત્યુની આશંકા

જશપુર, 20 એપ્રિલ, 2026: છત્તીસગઢમાં વિમાન પહાડી સાથે ટકરાયું હોવાના અને આ અકસ્માતમાં વિમાનના પાયલટ તેમજ સહ-પાયલટ એમ બંનેના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. છત્તીસગઢના જશપુરથી એક વિમાન અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. નારાયણપુર વિસ્તારમાં એક ખાનગી વિમાન ‘આરા પહાડ’ સાથે ટકરાઈને ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટના અવસાન ની આશંકા વ્યક્ત […]

રેપિડો બુક કરાવવાનાં જોખમ, જાણો એક બદમાશ રેપિડો ડ્રાઈવરે યુવતીને શું કહ્યું?

રિવોઈ ન્યૂઝ, 20 એપ્રિલ, 2026 – બેફામ શહેરીકરણની સાથે છેલ્લા થોડાં વર્ષમાં કૉલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત યુવાન-યુવતીઓ તેમના પરિવારથી અલગ રહેવા લાગ્યા છે. શહેરોમાં આ માટે છેલ્લા થોડાં વર્ષમાં PG સેન્ટરોમાં બેફામ વધારો થયો છે. આવાં પીજી સેન્ટરોના કેટલા ન્યૂસન્સ છે એ વિશેના સમાચાર રોજેરોજ શહેરના કોઈને કોઈ ખૂણેથી જોવા જાણવા મળે છે, ત્યાં હવે રેપિડો […]

અંગ્રેજોની વધુ એક સામ્રાજ્યવાદી યાદગીરી “સિવિલ લાઈન્સ” ભૂતકાળ બની જશે

નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026: અંગ્રેજોની વધુ એક સામ્રાજ્યવાદી યાદગીરી “સિવિલ લાઈન્સ” હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવેલા ‘સિવિલ લાઇન્સ’ જેવા વિસ્તારોનાં નામ અને ઓળખ હવે ઇતિહાસ બની શકે છે. કેન્દ્ર સરકાર દેશમાં સંસ્થાનવાદી (સામ્રાજ્યવાદી) સમયની બચેલી પરંપરાઓ અને નામોને બદલવાની દિશામાં કામ કરી રહી છે. આ ક્રમમાં ‘સિવિલ લાઇન્સ’ ની પણ […]

TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર કાંડ, આરોપી રિયાજ ફાજિલની ધરપકડ

નાગપુર, 20 એપ્રિલ, 2026: TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર માટે દબાણ કરવાનો અને મહિલા હિન્દુ કર્મચારીઓ સાથે બિભત્સ હરકતો કરવાનો કિસ્સા બહાર આવ્યો છે. આ કેસમાં એક પીડિત યુવતીની ફરિયાદ બાદ એનજીઓ ચલાવનાર આરોપી રિયાજ ફાજિલ કાઝીની ધરપકડ કરવામાં આવી છે. નાગપુરમાં એક NGO પ્રમુખ રિયાઝ ફાઝિલ કાઝી પર યૌન શોષણ અને […]

કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ, NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે

શ્રીનગર, 18 એપ્રિલ, 2026: કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આતંકી સમર્થકને જમ્મુની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ-કાશ્મીરના 1996ના એક કેસમાં કાશ્મીરી અલગતાવાદી નેતા શબ્બીર અહેમદ શાહની ધરપકડ કરી છે. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ જજ પ્રશાંત […]

પાકિસ્તાનમાં 100 શહેરોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જાણો શું માગણી કરી રહ્યા છે?

ઇસ્લામાબાદસ 18 એપ્રિલ, 2026: પાકિસ્તાનમાં 100 શહેરોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવિધ પડતર માગણીઓ સાથે લાખો ખેડૂતો રસ્તા પર ઉતર્યા હોવાનું પાકિસ્તાની મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં શુક્રવારે ખેડૂતોએ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા. આ પ્રદર્શન ‘આંતરરાષ્ટ્રીય ખેડૂત સંઘર્ષ દિવસ’ ના અવસરે પાકિસ્તાન કિસાન રાબિતા કમિટી (PKRC) ના આહ્વાન પર આયોજિત કરવામાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, મહિલા અનામત ખરડા વિશે બોલી શકે છે

નવી દિલ્હી, 18 એપ્રિલ, 2026 – વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે લોકસભામાં નારી શક્તિ અભિનંદન ખરડો પસાર નહીં થઈ શક્યો એ સંદર્ભે વડાપ્રધાન રાષ્ટ્ર સમક્ષ ભાજપ-એનડીએનું વલણ રજૂ કરશે. ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી લોકસભામાં નારી શક્તિ અભિનંદન ખરડો અર્થાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code