1. Home
  2. Agency
  3. News
  4. એર માર્શલ પી. વી. શિવાનંદે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી
એર માર્શલ પી. વી. શિવાનંદે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

એર માર્શલ પી. વી. શિવાનંદે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

0
Social Share

ગાંધીનગર, 8 જુલાઈ, 2026: એર માર્શલ પી. વી. શિવાનંદે તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ એર માર્શલ પી. વી. શિવાનંદ સોમવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. ગાંધીનગરસ્થિત લોકભવન ખાતે યોજાયેલી આ એક ઔપચારિક મુલાકાત હતી.

મળતી માહિતી અનુસાર, 06 જુલાઈ 2026 ના રોજ યોજાયેલી આ બેઠક દરમિયાન એર માર્શલ પી. વી. શિવાનંદે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે સૌજન્ય મુલાકાત કરીને દેશની સરહદોની સુરક્ષા અને પ્રાદેશિક સુરક્ષા વ્યવસ્થા સહિતના વિવિધ મહત્ત્વના વિષયો પર ચર્ચા કરી હતી.

રાજ્યપાલ દ્વારા નવા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફને આ મહત્ત્વની જવાબદારી સંભાળવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને દેશની સુરક્ષામાં વાયુસેનાના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડનું વડું મથક ગાંધીનગર પાસે આવેલું છે, જે ગુજરાત સહિત દેશના પશ્ચિમ સરહદી વિસ્તારોની સુરક્ષા માટે ખૂબ જ વ્યૂહાત્મક અને મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પદભાર સંભાળ્યા બાદ કમાન્ડના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યના વડા સાથે મુલાકાત કરવાની આ એક પરંપરાગત પ્રક્રિયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code