1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારતના છેલ્લા 12 વર્ષ અછતથી વિકાસ તરફની પ્રગતિના રહ્યા છે: રક્ષા મંત્રી

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – “છેલ્લા 12 વર્ષોમાં ભારતની સફર અછતથી આત્મનિર્ભરતા, આત્મનિર્ભરતાથી આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસથી વિકાસ ભારત તરફની પ્રગતિ રહી છે,” એમ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 04 જુલાઈ, 2026 ના રોજ નવી દિલ્હીમાં એક મીડિયા સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેના પ્રથમ કાર્યકાળમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર […]

મેદાનમાં સૈનિકોએ જીતેલું ટેબલ પર ગુમાવ્યું? શિમલા કરારની એ ઉદાર ભૂલ જેનો દંડ ભારત આજે પણ ભોગવે છે

હેમંત પરમાર દ્વારા ૨ જુલાઈ ૧૯૭૨. આ એ તારીખ છે જ્યારે હિમાચલ પ્રદેશની ઠંડી હવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે “શિમલા કરાર” પર હસ્તાક્ષર થયા હતા. આ કરારના બરાબર એક વર્ષ પહેલા, એટલે કે ૧૯૭૧માં, ભારતીય સેનાએ રણમેદાનમાં પાકિસ્તાનના એવા હાલ કર્યા હતા કે તેના બે ટુકડા થઈ ગયા અને વિશ્વના નકશા પર બાંગ્લાદેશ નામના નવા […]

એર માર્શલ તેજિંદર સિંહે CISC તરીકે પદભાર સંભાળ્યો

નવી દિલ્હી, 1 જુલાઈ, 2026 – એર માર્શલ તેજિંદર સિંહે CISC તરીકે પદભાર સંભાળ્યો છે. આ અંગે જારી સત્તાવાર યાદી અનુસાર એર માર્શલ તેજિંદર સિંહે 01 July 2026 ના રોજ ચીફ ઓફ સ્ટાફ કમિટી (CISC) ના ચેરમેનના ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકેનો પદભાર સંભાળ્યો છે. નેશનલ ડિફેન્સ એકેડેમી, ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ […]

એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરાયું

[અલકેશ પટેલ]  એર ફોર્સ સ્ટેશન વડોદરા, 30 જૂન, 2026 – એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા આત્મનિર્ભર ભારત સંદર્ભે 30 જૂનને મંગળવારે ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આત્મનિર્ભર ભારત‘ ના રાષ્ટ્રીય વિઝનને સમર્થન આપવા માટે ભારતીય વાયુસેના અને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ વચ્ચેના સહયોગને મજબૂત કરવાના હેતુથી એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા આ ઇન્ડસ્ટ્રી આઉટરીચ […]

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચાર દાયકાથી વધુની વિશિષ્ટ સેવા પછી નિવૃત્ત થયા

નવી દિલ્હી, 30 જૂન 2026: જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, PVSM, AVSM, ચાર દાયકાથી વધુની વિશિષ્ટ સેવા પછી આજે નિવૃત્ત થયા છે અને ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ (COAS) તરીકેનો કાર્યભાર છોડ્યો છે. તેમનો કાર્યકાળ ઉચ્ચ સ્તરની ઑપરેશનલ સજ્જતા જાળવવા, સશસ્ત્ર દળો વચ્ચે સંયુક્તતાને મજબૂત કરવા, પરિવર્તનની પ્રક્રિયાને વેગ આપવા અને ટેકનોલોજીના સમાવેશ, દળોના પુનર્ગઠન અને સૈનિક-કેન્દ્રિત […]

ભારતીય નૌકાદળના પૂર્વીય ફ્લીટ જહાજો ઉદયગિરી, કવારત્તી અને શક્તિ થાઈલેન્ડના સત્તાહિપ પહોંચ્યા

નવી દિલ્હી, 27 જૂન 2026: ભારતીય નૌકાદળના પૂર્વીય ફ્લીટ જહાજો ઉદયગિરી, કવારત્તી અને શક્તિ દક્ષિણપૂર્વ એશિયા ક્ષેત્રમાં તેમની ઓપરેશનલ ડિપ્લોયમેન્ટના ભાગ રૂપે થાઈલેન્ડના સત્તાહિપ પહોંચ્યા હતા. પૂર્વીય ફ્લીટના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ, રીઅર એડમિરલ આલોક આનંદની આગેવાની હેઠળના જહાજોનું રોયલ થાઈ નેવી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પોર્ટ કોલ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સાથે ભારતના સતત દરિયાઈ જોડાણનો […]

ઓપરેશન સિંદૂરના હુતાત્માઓ અંગે અપપ્રચાર કરવાની કોંગ્રેસની ચાલ ખુલ્લી પડી

નવી દિલ્હી, 27 જૂન, 2026 – ઓપરેશન સિંદૂરના હુતાત્માઓ અંગે અપપ્રચાર કરવાની કોંગ્રેસની ચાલ ખૂલ્લી પડી છે. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણીવાર તથ્યોની ચકાસણી કર્યા વિના જ આક્ષેપો કરી દેવામાં આવે છે. આવું જ કંઈક કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ કર્યું છે. પવન ખેડાએ ઇન્ડિયા ટુડેના સમાચાર શેર કરીને મોદી સરકાર પર ‘ઓપરેશન સિંદૂર’ના […]

બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની PM મોદી સાથે મુલાકાત

નવી દિલ્હી, 24 જૂન 2026: નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ (BRICS) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) બેઠકના બે દિવસીય કાર્યક્રમ બાદ બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા કહ્યું કે તેઓ આ તમામ સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ અધિકારીઓને મળીને […]

પંજાબઃ બોર્ડર પાસેથી હથિયારોનો જંગી જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

નવી દિલ્હી, 20 જૂન 2026: પંજાબના અમૃતસરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સીમા સુરક્ષા દળ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હથિયારોનો એક મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી AK-47 રાઇફલ સહિત 26 અત્યાધુનિક હથિયારો જપ્ત કર્યા છે. […]

ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવ: ઘૂસણખોરી અને તસ્કરી મુદ્દે બંને દેશો આમને-સામને

નવી દિલ્હી, 19 જૂન 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવનો મુદ્દો ફરી એકવાર વૈશ્વિક મંચ પર ચર્ચામાં આવ્યો છે. બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે સંસદમાં ભારતીય સીમા સુરક્ષા દળની કાર્યવાહીને “માનવાધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન” ગણાવી આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે સરહદ પર બાંગ્લાદેશી નાગરિકોના મોતના મુદ્દાને તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલી બીએસએફ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code