1. Home
  2. Tag "Gandhinagar"

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વકરે તે પહેલા જ તકેદારી માટે હેલ્થ વિભાગની બેઠક મળી

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે કામગીરી અસરકારક બનાવાશે, બાંધકામ સાઈટ્સ પર મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પગલાં લેવાશે, શાળાઓના કેમ્પસમાં ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ સમયાંતરે કરાશે ગાંધીનગરઃ  કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2030માં મેલેરિયા નિર્મૂલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીને વધુ […]

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કૂલવાનના ચાલકોએ વિદ્યાર્થી દીઠ ભાડામાં કર્યો વધારો

દરેક વિદ્યાર્થીદીઠ રૂપિયા 100નો વધારો કર્યો, સ્કૂલ સ્ટેશનરી, નોટ્સબુકોના ભાવમાં વધારા બાદ સ્કૂલવાન ચાલકોએ ભાવ વધાર્યા, અસહ્ય મોંઘવારીમાં વાલીઓની હાલત કફોડી ગાંધીનગરઃ 9મી જુને નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ સાથે સ્ટેશનરી, નોટબુક્સ અને પુસ્તકોના ભાવમાં વધારા બાદ હવે ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કૂલવાનચાલકોએ પણ વિદ્યાર્થીદીઠ રૂપિયા 100નો વધારો કર્યો છે. સ્કુલવાન ચાલકો દ્વારા વિદ્યાર્થી કેટલા અંતરે […]

ગાંધીનગરની એઆરટીઓ કચેરીને આરટીઓમાં અપગ્રેડ કરાઈ

આરટીઓ કચેરી અપગ્રેડ થતાં હવે વધુ સુવિધાઓ મળશે, આરટીઓ કચેરીના ક્લેરીકલ સ્ટાફમાં પણ વધારો થવાથી અરજદારોના કામો ઝડપી થશે, ક્લાસ-1 અધિકારીની સાથે વહિવટી અધિકારીઓમાં પણ વધારો થશે. ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં એઆરટીઓ કચેરીને અપગ્રેડ કરીને આરટીઓ કચેરીનો દરજ્જો અપાયો છે. જેથી નાગરિકોને લાભ થશે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે […]

ગાંધીનગરમાં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા શરૂ કરાશે

ગાંધીનગરના સેક્ટર-13માં પ્રા. શાળાના મકાનમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરાશે, નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, ઉચ્ચત્તર માધ્યમિકમાં હાલ સામાન્ય પ્રવાહમાં પ્રવેશ અપાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં એકપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા નથી. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે ગાંધીનગરમાં સેકટર-13માં  અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શરૂ કરવાની મંજુરી આપી છે. નવી અંગ્રેજી […]

ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ, કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઇ, સબંધિતવિભાગો તેમજ કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયા,  રાજ્યમાં NDRFની 15 તેમજ  SDRFની 11 કંપની તૈયાર રહેશે ગાંધીનગરઃ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાની  સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત વિભાગ તાત્કાલીક પોતાના રાજ્ય,જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરે તે જરૂરી છે. વિભાગો પોતાનો ડિઝાસ્ટર મેનેજમેનટ પ્લાન તૈયાર કરીને […]

ગાંધીનગરમાં આતંકવાદ પર PM મોદીએ કહ્યું, કે, અમે નક્કી કર્યું છે કે, આ કાંટો કાઢીને જ રહીશું..

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભવ્ય રોડ શો યોજાયો મહાત્મા મંદિરમાં મોદીએ કરોડો રૂપિયાના વિકાસના કામોનું કર્યું લોકાર્પણ મોદીએ સંબોધનમાં કહ્યું કે આ વખતે વીડિયો સાથે કાર્યવાહી થઈ, એટલે ઘરના લોકો પુરાવા ન માગે ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થયા હતા. આજે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો […]

ગાંધીનગરમાં રાજભવનના કર્મીઓ માટે આવાસીય પરિસર ‘ઐશ્વર્યમ્’નું લોકાર્પણ

‘ઐશ્વર્યમ્‘ આશ્રય સુખ, શાંતિ આપે એ જ અભ્યર્થનાઃ રાજ્યપાલ ‘ઐશ્વર્યમ્‘ પરિસરમાં ચ-કક્ષાના96, ઘ-કક્ષાના 32, ગ-1 અને ક કક્ષાના ચાર ચાર આવાસો, કોમ્યુનિટી હૉલ, આરોગ્ય કેન્દ્ર, 10 દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપન્ન ગાંધીનગરઃ રાજભવનના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર – ‘ઐશ્વર્યમ્’ નું રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે લોકાર્પણ કર્યું હતું. રાજભવન પરિવારને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આવાસો અર્પણ કરતાં  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ‘ઐશ્વર્યમ્’ એટલે સુખ-સમૃદ્ધિ […]

ગાંધીનગરમાં તિરંગા યાત્રામાં નગરજનો જોડાયા, ભારતિય સૈન્યના પરાક્રમને આપી સલામી

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં જોડાયા નાગરિકોએ ઓપરેશન સિંદૂરની કરી ઊજવણી તિરંગા યાત્રામાં ભાજપના ધારાસભ્ય અને પદાધિકારીઓ પણ જોડાયા ગાંધીનગરઃ  કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 જેટલા આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. 100થી વધુ આતંકીઓને ખતમ કર્યા હતા. […]

ગાંધીનગરમાં એસીબીના પીઆઈ તરીકે ઓળખ આપીને તોડ કરતો શખસ પકડાયો

નિવૃત ASIનો પૂત્ર નોકરી અપાવવાની લાલચ આપતો હતો ઉચ્ચ અધિકારીઓ સાથે સેટિંગ હોવાનું કહી 25 હજારનો તોડ કરવાનો પ્રયાસ પોલીસે ફરિયાદીને વિશ્વાસમાં લઈ આરોપીને રૂપિયા લેવા બોલાવ્યો હતો ગાંધીનગરઃ નકલી અધિકારીના સ્વાંગમાં લોકોને લાલચ આપીને કે પછી ધમકાવીને તોડ કરવાના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગરમાં અમદાવાદના એક નિવૃત એએસઆઈના પૂત્રએ પોતે એસીબીમાં પીઆઈ હોવાની […]

ગાંધીનગરમાં બોરિયા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લીધે દબાણો હટાવવા સામે હાઈકોર્ટમાં રિટ

મ્યુનિએ દબાણકર્તાઓને 15 દિવસમાં દબાણ હટાવી લેવા નોટિસ આપી હતી મ્યુનિએ 43માંથી 35 દબાણકર્તાઓને પ્લોટ ફાળવી આપ્યા બંને પક્ષોની સહમતિથી  વચગાળાનો ઉકેલ લવાયો અમદાવાદઃ ગાંધીનગરમાં બોરિયા તળાવને લાખોના ખર્ચે બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અડચણરૂપ બનતા ગેરકાયદે બાંધકામો દુર કરવા ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને દબાણકર્તાઓને નોટિસ આપી હતી. તેની સામે અરજદારે હાઈકોર્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code