રામ મંદિર દાન ચોરીઃ ચંપતરાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં મંજૂર, કૃષ્ણ મોહનને જવાબદારી સોંપાઈ
અયોધ્યા, 6 જુલાઈ, 2026: રામ મંદિર દાન ચોરી મામલે છેવટે રામ મંદિર ટ્રસ્ટની મીટિંગમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. ચંપતરાયના સ્થાને હાલ કૃષ્ણ મોહનને જવાબદારી સોંપવામાં આવી છે.
મીડિયા અહેવાલો અનુસાર આ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રા સામેલ થયા નહોતા. માહિતી મુજબ સ્વામી ગોવિંદ ગિરી મહારાજે ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો જેને આમ સહમતિથી મંજૂર કરી લેવામાં આવ્યો. ચંપત રાયના નજીકના લોકોનો દાવો છે કે પ્રભુની સેવા માટે કોઈ પદની અનિવાર્યતા જરૂરી નથી. પ્રભુની સેવા કરતા રહેશે. મહંત નૃત્ય ગોપાલ દાસ, સ્વામી ગોવિંદ ગિરી મહારાજ, સ્વામી વિશ્વપ્રસન્ન તીર્થ, કૃષ્ણ મોહન સહિત તમામ સભ્યો આ મીટિંગમાં સામેલ થયા.
ગોપાલ રાવને ટ્રસ્ટની મીટિંગમાંથી બહાર કર્યા
મીટિંગમાં સામેલ થવા માટે પહોંચેલા ગોપાલ રાવને ટ્રસ્ટની મીટિંગમાંથી બહાર જવા જણાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સભ્યોએ ટ્રસ્ટી ન હોવાનો હવાલો આપીને તેમને મીટિંગમાંથી પરત મોકલી દીધા હતા.
ભાવનાઓ આહત થઈ: વાસુદેવાનંદ સરસ્વતી
માહિતી મુજબ બેઠકમાં વાસુદેવાનંદ સરસ્વતીએ કહ્યું કે દાન ચોરીની વાતો સામે આવવાથી અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે. વળી કૃષ્ણ મોહને બેઠકમાં જણાવ્યું કે શરૂઆતી તપાસમાં જ્યારે અનિયમિતતા જોવા મળી ત્યારે FIR દર્જ કરાવવામાં આવી હતી. વળી સ્વામી પરમાનંદ ગિરીએ કહ્યું કે ધર્મની રક્ષા કરવી અમારું પહેલું કર્તવ્ય છે. જ્યારે લોકો આસ્થાથી જોડાય છે તો નાની-નાની વાતોનો ખ્યાલ રાખવો જોઈએ.
સંજય પ્રસાદ વીડિયો કોન્ફરન્સથી બેઠકથી જોડાયા
યુપીના પ્રમુખ ગૃહ સચિવ સંજય પ્રસાદ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠકમાં સામેલ થયા. જણાવી દઈએ કે SIT એ પોતાનો રિપોર્ટ સંજય પ્રસાદને જ સોંપ્યો હતો. સંજય પ્રસાદ રામ મંદિર ટ્રસ્ટના પદધારી સભ્ય છે. SIT ની તપાસ રિપોર્ટ પર ટ્રસ્ટની બેઠકમાં ડિટેલમાં ચર્ચા થઈ. ટ્રસ્ટની બેઠકમાં SIT તપાસની રિપોર્ટ પર સંતોષ વ્યક્ત કરાયો. ટ્રસ્ટના તમામ સભ્યોએ કરોડો હિન્દુઓની ભાવના સાથે આ આખા મામલાને ખિલવાડ ગણાવ્યો સાથે જ ખામીઓને પણ માની.
CEOની નિમણૂક પર પણ નિર્ણય
ટ્રસ્ટની મીટિંગમાં દાન ચોરીને લઈને રામ મંદિર ટ્રસ્ટે ખેદ પણ પ્રકટ કર્યો. આ સિવાય રામ મંદિર ટ્રસ્ટની વ્યવસ્થા માટે CEOની નિમણૂક પર પણ નિર્ણય થશે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક રામ મંદિરની અંદર જ ગેસ્ટ હાઉસમાં થઈ. પહેલા મણિ રામ દાસ છાવણીમાં આ મીટિંગ થવાની હતી.


