Site icon Revoi.in

મશહૂર સિંગર જૂબિન નૌટિયાલનો આજે 33મો જન્મ દિવસ – રિયાલીટી શો માં રિજેક્ટ થયા બાદ પણ આજે સંગીત જગતમાં મોખરે

Social Share

આંખ ઉઠી મોહબ્બતને અંગડાઈ લી,,,,આ સોંગ ભાગ્યે જ કોી એવું હશે જેણે નહી સાંભળ્યું હોય ,,,,થોડા સમય પહેલા દરેકના હોઠો પર આ સોંગ સાંભળવા મળતું જ હતું જેને એવાજ આપ્યો છે મશહૂર સિંગર જૂબિન લાખોના દિલની ધડકનનો આવાજ છે.તેમણે બોલિવૂડમાં અનેક સુર હિટ સોંગ્સ આપ્યા છે.

જૂબિનનો જન્મ  1989માં ઉત્તરાખંડના દેહરાદૂન શહેરમાં થયો હતો. તે બ્રાહ્મણ પરિવારનો છે. રિયાલિટી શોમાંથી આવતા, જુબિન તેના ઈમોશનલ ગીતો માટે જાણીતા છે, જે પાછળથી ટોચના ચાર્ટબસ્ટર બન્યા. તેણે ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. બોલિવૂડ મૂવીઝ માટે ગાવા ઉપરાંત તેણે ફ્રી મ્યુઝિકમાં પણ પગલા રાખ્યા. બી-ટાઉન સિંગર જુબિન નૌટિયાલની એક કપરી મુસાફરી હતી જેના કારણે તે આજે સ્ટાર છે.

બેક ટુ બેક ઘણા સુપરહિટ સોંગ  આપના રાસિંગર જુબિન નૌટિયાલ આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જુબિન નૌટિયાલનો અવાજ ખૂબ જ સુંદર હોવા છતાં, તેઓ આજે જ્યાં છે ત્યાં સુધી પહોંચવામાં તેમણે ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો છે.  લુટ ગયે, મસ્ત નજરોં સે, તુમ હી આના, રતન લાંબિયા, દિલ લૌટા દો અને કિન્ના સોના જેવા ઘણા સુપરહિટ સોંગ ગાનાર  ઝુબીનને એકવાર રિયાલિટી શોમાંથી મશહૂર સિંગર સોનુ નિગમ દ્રારા જ  રિજેક્ટ કરવામાં આવ્યો હતો.

પોતાના રિજેક્શન બાદ પણ હાર ન માનીને જૂબિન આજે અહી સુધી પહોંચવામાં સફળ સાહિત રહ્યા,. તેમણે સાબિત કરી બતાવ્યું કે માત્ર એક હારથી બેસી રહેવાતું નથી સફળતા પરિશ્રમથી જ મળે છે.
સોનૂ નિગને કર્યો હતો રિજેક્ટ
વર્ષ 2011ની વાત છે જ્યારે જુબિન નૌટિયાલ રિયાલિટી ટીવી શો ‘એક્સ ફેક્ટર ઈન્ડિયા’માં ઓડિશન આપવા આવ્યો હતો. તે સમયે સોનુ નિગમ, સંજય લીલા ભણસાલી અને શ્રેયા ઘોષાલ આ શોને હોસ્ટ કરી રહ્યા હતા. ઓડિશન રાઉન્ડ પછી, ઝુબિનના અવાજને સોનુ નિગમ અને સંજય લીલા ભણસાલીએ નકારી કાઢ્યો હતો. પરંતુ શ્રેયા ઈચ્છતી હતી કે તે શોમાં આવે.
પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલ કે જેમણે કબીર સિંહ, મરજાવાન, બજરંગી ભાઈજાન જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો. જુબિન નૌટિયાલ, એક એવું નામ જે રોમેન્ટિક ગીતોથી દિલ-દિમાગમાં ઘૂમવા લાગે છે. પછી તે 2014માં તેનું પહેલું ગીત ‘ઈક મુલાકત’ હોય કે ‘શેર શાહ’નું ‘રતન લાંબિયા’ હોય.
એ આર રહેમાનની વાત માનીને સંગીતમાં કર્યો અભ્યાસ
શ્રેયાના કહેવા પર, ઝુબિન શોમાં પ્રવેશ્યો પરંતુ થોડા એપિસોડ પછી તેને દૂર કરવામાં આવ્યો. જો કે જુબિન નૌટિયાલે હાર ન માની અને આ અસ્વીકાર પછી પણ પ્રયાસ ચાલુ રાખ્યો. બહુ ઓછા લોકો જાણે છે કે મુંબઈ આવ્યા પછી જુબિન નૌટિયાલ એ.આર. રહેમાનને મળ્યા, ત્યારે રહેમાને તેમને સલાહ આપી કે બોલિવૂડમાં આવતા પહેલા તેણે સંગીતનો અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ કરવો જોઈએ. ત્યાર બાદ તેમની સફર શરુ થી જે તેઓને આજે અહી સુધી લઈ આવી છે તેઓ એક સફલ સિંગર તરીકે ઊભરૂ આવ્યા છે.