Site icon Revoi.in

જાણો કયા કારણોસર પીપળાને પૂજનીય માનવામાં આવે છે,તેની પૂજા કરવાથી શું થાય છે ફાયદા !

S

Social Share

શાસ્ત્રોમાં પીપળાનું વૃક્ષ પૂજનીય કહેવાયું છે.શાસ્ત્રોમાં પીપળાનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે,તેના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ છે. બીજી તરફ સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે,પીપળાના મૂળમાં વિષ્ણુ, દાંડીમાં કેશવ, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં શ્રીહરિ અને ફળોમાં બધા દેવતાઓ સાથે અચ્યુત ભગવાનનો વાસ છે. આ રીતે પીપળાને દિવ્ય વૃક્ષ તરીકે વર્ણવવામાં આવ્યું છે.

વૈજ્ઞાનિક રીતે પણ પીપળાનું વૃક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય છે. આ એક એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સિજન આપે છે. આ રીતે તે તમામ જીવો માટે જીવનદાયી છે. તેને કાપવાથી બચાવવા અને તેનું મહત્વ સમજવા માટે આ વૃક્ષની પૂજા કરવાનું કહેવામાં આવે છે. અહીં જાણો પીપળા સાથે જોડાયેલી એવી બધી ધાર્મિક વાતો, જેના કારણે પીપળાનું વૃક્ષ પૂજનીય માનવામાં આવે છે.

પિતૃદોષ દૂર કરનાર

જો કોઈના પરિવારમાં પિતૃ દોષ હોય તો તે વ્યક્તિ પોતાનું જીવન ક્યારેય સુખી નથી જીવી શકતી. દરરોજ સમસ્યાઓ તેને ઘેરી લે છે. પીપળાનું ઝાડ પિતૃ દોષને દૂર કરવાનું સાધન માનવામાં આવે છે. દરરોજ પીપળાની પૂજા કરવાથી તમે તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકો છો અને પિતૃ દોષ દૂર કરી શકો છો. જો અમાવાસ્યાના દિવસે પીપળાનો છોડ લગાવવામાં આવે છે અને આ છોડનું ધ્યાન રાખવામાં આવે છે, તો આ છોડની વૃદ્ધિની સાથે જ તમારા પરિવારમાં પિતૃ દોષનો પ્રભાવ સમાપ્ત થવા લાગે છે અને તમારી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

શ્રી કૃષ્ણને પીપળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે 

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. દ્વાપર યુગમાં ગીતાનું પ્રવચન બોલતી વખતે તેમણે પોતે જ પોતાના મુખથી કહ્યું છે કે હું વૃક્ષોમાંનો પીપળો છું. તેથી જ નારાયણને પીપળાનું વૃક્ષ ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે,પીપળાની પૂજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી આવતી.

પીપળો વાસ્તુ દોષોને દૂર કરે છે 

એવી પણ માન્યતા છે કે,પીપળાના ઝાડને ઘરમાં લગાવવાથી ઘરના વાસ્તુ દોષનો અંત આવે છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે. જો તમારા ઘરની છત અથવા કોઈપણ દિવાલ પર પીપળાનું ઝાડ ઉગ્યું હોય તો ગભરાશો નહીં, તેને નુકસાન પહોંચાડ્યા વિના તેને બહાર કાઢીને કુંડા અથવા અન્ય જગ્યાએ લગાવો. તેને ઘરમાં જમીન પર ન લગાવો, નહીં તો તે મોટા થવા પર ઘરની દિવાલોને નુકસાન પહોંચાડશે. તેથી જ તેને જમીન પર લગાવવાની મનાઈ છે.