Site icon Revoi.in

RBI એ અચાનક જ રેપો રેટના દરોમાં શા માટે કર્યો વધારો ,જાણો

Social Share

દિલ્હીઃ- આજરોજ બુધવારે  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધારો કર્યો છે. આજે આ રેટમાં અચાનક વધારો કરીને દેશના કરોડો લોકો આશષ્ચર્ય થયું છેસઆરબીઆઈના આ પગલા પછી કદાચ તમારા મનમાં પ્રશ્ન થયો હશે કે આ અચાનક ફેરફાર શા માટે કરવામાં આવ્યો ,આરબીઆઈના આ પગલા બાદ બેંકો પાસે રોકડ 87,000 કરોડ ઘટી જશે.

આરબીઆઈએ મુખ્ય નીતિ દર રેપો રેટ 0.40 ટકા વધારીને 4.40 ટકા કર્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી ની બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો 0.50 ટકાથી વધારીને 4.5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શા માટે કરાયો વધારો જાણો

પ્રાપ્ત જાણકારી પ્રમાણે છૂટક ફુગાવાનો દર છેલ્લા ત્રણ મહિનાથી 6 ટકાથી ઉપર રહ્યો છે. રિટેલ ફુગાવાનો દર 2 ટકાના તફાવત સાથે 4 ટકા પર જાળવી રાખવાની જવાબદારી મધ્યસ્થ બેન્કને સોંપવામાં આવી છે. આવી સ્થિતિમાં ઝડપથી વધી રહેલી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સેન્ટ્રલ બેંક દ્વારા રેપો રેટ વધારવાનું પગલું લેવામાં આવ્યું હતું. આ પગલાથી કંપનીઓ અને લોકોને લોન લેવી મોંઘી પડશે.

આ સાથે જ આરબીઆઈ દ્રારા કહેવામાં આવ્યું કે ગ્લોબલ ઇકોનોમીની સ્થિતિ બગડતી જાય છે. અર્થવ્યવસ્થા પર મોંઘવારનું દબાણ યથાવત છે. સતત વધતી જતી મોંઘવારી ચિંતાજનક છે. યુદ્ધના લીધે મોંઘવારી અને ગ્રોથનું અનુમાન બદલાયું છે. આરબીઆઇ તરફથી રેપો રેટ વધાર્યા બાદ શેરબજારમાં વેચાવલી વધી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ઓગસ્ટ 2018 પછી પ્રથમ વખત રેપો રેટમાં વધારો કર્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા લગભગ ચાર વર્ષ બાદ રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે MPCએ કોઈપણ નિર્ધારિત કાર્યક્રમ વિના બેઠક યોજીને વ્યાજદરમાં અચટાનક જ વધારો કર્યો છે. MPCની બેઠકમાં તમામ 6 સભ્યોએ સર્વાનુમતે પોલિસી રેટ વધારવાનો નિર્ણય લીધો હતો.

આ પ્રસંગે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી દર 6 ટકાની લક્ષ્‍ય ઉપલી મર્યાદાથી ઉપર છે. એપ્રિલમાં પણ તે ઊંચી રહેવાની શક્યતા છે. માર્ચમાં છૂટક ફુગાવો 6.9 ટકા હતો. અગાઉ, કેન્દ્રીય બેંકે 22 મે, 2020 ના રોજ રેપો રેટમાં સુધારો કર્યો હતો. આ અંતર્ગત માંગ વધારવાના હેતુથી રેપો રેટને 4 ટકાના સૌથી નીચા સ્તરે લાવવામાં આવ્યો હતો.

હવે રેપો રેટમાં વધારાની સાથે ઇએમઆઇ વધી જશે કારણ કે બેંકોનો લોન ખર્ચ વધી જશે. રેપો રેટ દર તે દર હોય છે બેંક રિઝર્વ બેંકમાંથી ધન ઉઠાવે છે. તેના વધવાની સાથે જ બેંકોની લોન ખર્ચ વધી જશે અને તે ગ્રાહકો પર પડશે. તેનાથી આગામી સમયમાં હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન તમામ મોંઘી બની જશે.