Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ જયશંકરે દુશાંબેમાં ચીનના સમકક્ષ વાંગ સાથે કરી મુલાકાત  

Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે દુશાંબેમાં SCO ની બેઠક દરમિયાન તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે મુલાકાત કરી હતી અને તે વાત પર ભાર મૂક્યો હતો કે,પૂર્વી લદ્દાખમાં સૈનિકોની વાપસીની પ્રકિયામાં શાંતિની પુનઃસ્થાપના માટે પ્રગતિ જરૂરી છે.જયશંકર અને વાંગ શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકોમાં ભાગ લેવા દુશાંબેમાં છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ દુશાંબેમાં SCO ની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રીને મળ્યા. તેમના સરહદી વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખેંચવાની ચર્ચા કરી અને રેખાંકિત કર્યું કે શાંતિની પુનઃસ્થાપના માટે તે ખૂબ મહત્વનું છે અને તે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિનો આધાર છે. બેઠક પછી જયશંકરે કહ્યું કે,બંને પક્ષોએ વૈશ્વિક વિકાસ પર મંતવ્યોની આપલે કરી અને ભાર મૂક્યો કે,ભારત સંસ્કૃતિઓના સંઘર્ષના કોઈપણ સિદ્ધાંતનું પાલન કરતું નથી.

એવું માનવામાં આવે છે કે,અફઘાનિસ્તાનના વિકાસની પણ ચર્ચા કરવામાં આવી હતી.જયશંકરે કહ્યું કે એ પણ જરૂરી છે કે ચીન ભારત સાથેના તેના સંબંધોને કોઈ ત્રીજા દેશની નજરે ન જુએ.જ્યાં સુધી એશિયાની એકતાની વાત છે ત્યાં સુધી ચીન અને ભારતે એક દાખલો બેસાડવો પડશે. બેઠક દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ સંમત થયા કે બંને પક્ષોના લશ્કરી અને રાજદ્વારી અધિકારીઓએ ફરીથી મળવું જોઈએ અને બાકીના મુદ્દાઓ વહેલી તકે ઉકેલવા માટે તેમની ચર્ચા ચાલુ રાખવી જોઈએ.

પૂર્વીય લદ્દાખમાં ચીન સાથેના મડાગાંઠ પર ભારતે ગુરુવારે કહ્યું કે,પશ્ચિમી ક્ષેત્રમાં સંઘર્ષના બાકી રહેલા વિસ્તારોમાંથી સૈનિકોને સંપૂર્ણ રીતે પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ સરહદમાં સંપૂર્ણ શાંતિ પુનઃસ્થાપિત અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ સુનિશ્ચિત કરી શકાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારો સમક્ષ આ વાત કરી હતી.