Site icon Revoi.in

કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાને Z કેટેગરીની સુરક્ષા મળી, ભાજપના નેતાઓ સાથે રાજ્યમાં રેલી કરશે

Social Share

દિલ્હીઃ- ગૃહ મંત્રાલયે બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને Z કેટેગરીની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ  સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે. કર્ણાટકમાં જ યેદિયુરપ્પાને આ સુરક્ષા આપવામાં આવી છે.

આ સાથે જ પૂર્વ સીએમને સંરક્ષણ મંત્રાલય સાથે શેર કરવામાં આવેલી ઇન્ટેલિજન્સ બ્યુરોની ધમકીના ખ્યાલના આધારે જ કેન્દ્રીય સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.યેદિયુરપ્પાને કર્ણાટકમાં કટ્ટરપંથી જૂથોથી ખતરો છે, જેને ધ્યાનમાં રાખીને સીઆરએફ કર્ણાટકમાં તેમના રોકાણ દરમિયાન બીજેપી નેતાને સુરક્ષા પ્રદાન કરશે.

ગૃહ મંત્રાલયે ભાજપના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. ઇનપુટના આધારે ગૃહ મંત્રાલયે Z શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો.

એવા અહેવાલ છે કે પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને ઉગ્રવાદી જૂથો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને તેમના જીવને ખતરો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

પૂર્વ મુખ્યમંત્રીએ અન્ય ભાજપના નેતાઓ સાથે કોંગ્રેસની નિષ્ફળતાને ઉજાગર કરવા રાજ્યભરમાં રેલીઓ યોજવાની જાહેરાત કર્યા બાદ ગૃહ મંત્રાલયે આ પગલું ભર્યું હતું.બીએસ યેદિયુરપ્પા લગભગ પાંચ દાયકાથી કર્ણાટકની રાજનીતિમાં એક અગ્રણી ચહેરો છે. તેઓ રાજ્યમાં લિંગાયત જૂથના નેતૃત્વ માટે જાણીતા છે, જે કર્ણાટકની સૌથી મહત્વપૂર્ણ મત બેંકોમાંની એક માનવામાં આવે છે.

Z શ્રેણીની સુરક્ષા હેઠળ 33 સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવશે જ્યારે 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ ઘરે જ રહેશે. સુરક્ષામાં એસ્કોર્ટ કાર પણ સામેલ થશે. કમાન્ડો સબ-મશીન ગન અને સંદેશાવ્યવહારના આધુનિક માધ્યમોથી સજ્જ હશે. તમને જણાવી દઈએ કે યેદિયુરપ્પાનો પરિવાર પણ રાજકારણમાં ઘણો સક્રિય છે.