Site icon Revoi.in

બાળકો માટે બકરીનું દૂધ ફાયદાકારક, આ ઉંમરે જ દૂધ પીવડાવવાનું કરો શરૂ

Social Share

દરેક માતા-પિતા બાળકોના સારા સ્વાસ્થ્ય માટે ઘણા પ્રયત્નો કરે છે. માતાપિતા બાળકને તે બધું જ ખવડાવે છે જે તેના સ્વાસ્થ્યને સુધારી શકે છે. બકરીનું દૂધ પણ બાળકો માટે ખૂબ પૌષ્ટિક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.આ સિવાય તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ પણ ખૂબ સારી માત્રામાં જોવા મળે છે.પરંતુ તમે કઈ ઉંમરે બાળકોને દૂધ પીવડાવી શકો છો, આજે અમે તમને તેના વિશે જણાવીશું. તો ચાલો જાણીએ…

શું બાળક માટે બકરીનું દૂધ છે સલામત ?

નિષ્ણાતોના મતે,બાળકોને બકરીનું દૂધ ન પીવડાવવું જોઈએ, કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જે બાળકો સરળતાથી પચાવી શકતા નથી.તેમાં ફોલેટ પણ ખૂબ જ ઓછું હોય છે, જે બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.આવી સ્થિતિમાં બકરીનું દૂધ પીવાથી પણ એનિમિયા થઈ શકે છે. માતાનું દૂધ, ફોર્મ્યુલા દૂધ અથવા ગાયનું દૂધ બાળક માટે વધુ સારું છે, કારણ કે આ ત્રણેય દૂધ ખૂબ જ હળવા હોય છે અને બાળકો તેને સરળતાથી પચાવી લે છે.

એમાં શું-શું જોવા મળે છે?

બકરીના દૂધમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે.તેમાં વિટામિન એ, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, કાર્બોહાઇડ્રેટ્સ જેવા પોષક તત્વો પણ ખૂબ સારી માત્રામાં હોય છે.તેમાં લેક્ટોઝ ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે, જે બાળકોને લેક્ટોઝ અસહિષ્ણુતાની સમસ્યા હોય છે, તેમના માટે બકરીનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે.

ફાયદા શું છે?

હૃદય સ્વસ્થ રહેશે
બકરીનું દૂધ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ગાયના દૂધ કરતાં લગભગ 50% ઓછું કોલેસ્ટ્રોલ હોય છે. આ દૂધનું સેવન કરવાથી બાળકોમાં હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઓછું થાય છે. જે બાળકોને નાનપણથી જ હ્રદય સંબંધિત સમસ્યાઓ હોય છે તેમના માટે બકરીનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે.

કબજિયાતથી રાહત
બકરીનું દૂધ પીવડાવવાથી પણ બાળકને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.તેમાં પ્રોટીન અને મિનરલ્સ જોવા મળે છે,આ સિવાય તેમાં પ્રી-બાયોટિક અને પ્રો-બાયોટિક ગુણ પણ હોય છે, જે પેટમાં મળી આવતા પાચન બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે.

એક વર્ષથી વધુ ઉંમરના બાળકોને પીવડાવો

ડૉક્ટરની સલાહ લીધા પછી તમે 1 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને બકરીનું દૂધ આપી શકો છો. બાળકોને ઉકાળેલું બકરીનું દૂધ આપો, તે દૂધમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને કીટાણુઓને મારી નાખે છે