Site icon Revoi.in

દિલ્હીમાં પ્રુદુષણને નિયંત્રણમાં લાવવા સરકાર એક્શન મોડમાં- 26 તારીખથી ‘રેડ લાઈન ઓન ગાડી ઓફ’ અભિયાન શરુ કરાશે

Social Share

દિલ્હીઃ શાયાળો આવતાની સાથએ જ દિવાળી પહેલા જ દેશની રાજઘાનીમાં પ્રદુષણનું સ્તર વઘવા લાગે છએ,ક્યાક વાહનોના ઘુમાડાના કારણે તો વળી ક્યાંક ખેચતરોમાં સળગાવવામાં આવતી પરાળીના કારણે આ પ્રદુષમનું સ્તર ઘીરે ઘીરે વઘતુ જ જઈ રહી છે આ દિવસોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાઈ છે ત્યારે હવે આજરોજ પ્રદુષણને નિયમત્રણમાં લાવવા માટે ખાસ બેઠક દિલ્હીમાં યોજાઈ હતી જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  હાલ દિલ્હીમાં ઠંડી અને પવનની ધીમી ગતિને કારણે AQI 300ની નજીક પહોંચી ગયો છે. ત્યારે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે અત્યાર સુધી દિલ્હીના રસ્તાઓ પર ધૂળ વિરોધી માટે માત્ર પાણી છાંટવામાં આવતું હતું, હવે તેમાં પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવશે. દિલ્હીમાં ચાલી રહેલા ધૂળ પ્રદૂષણ વિરોધી અભિયાનને 25 ઓક્ટોબરથી વધુ તીવ્ર બનાવવામાં આવશે. પર્યાવરણ મંત્રીએ કહ્યું કે આ એક પડકારજનક મહિનો છે. તમે લોકો પ્રદૂષણ માટે તમારા વાહનોની તપાસ કરાવો, તમારા વાહનોને લાલ લાઇટ પર રોકો.

આ યોજના પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. 26 ઓક્ટોબરથી અમે લોકોમાં લાલ લાઈટ ચાલુ, વાહન બંધ કરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવીશું. દશેરા પર ફટાકડા ફોડવા અંગે મંત્રીએ કહ્યું કે હાલમાં દિલ્હીની અંદર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. 

દિવાલી પહેલા પ્રદુ,મને લીને  દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક મહત્વપૂર્ણ બેઠક કરી છે. ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીના 13 પ્રદૂષણ હોટ સ્પોટ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં AQI 300ને પાર કરી ગયો છે. તમામ નોડલ અધિકારીઓને આ વિસ્તારોમાં પ્રદૂષણના સ્થાનિક સ્ત્રોતોને ઓળખવા માટે સૂચના આપવામાં આવી છે. તે જ સમયે, પ્રદૂષણને રોકવા માટે, ‘ગાડી બંધ પર લાલ લાઈટ’ અભિયાન 26 ઓક્ટોબરથી ફરી શરૂ થશે.