Site icon Revoi.in

ભારતીય માછીમારો ઉપર ગોળીબારની ઘટનામાં સરકારનું પાકિસ્તાન સામે આકરુ વલણ

Social Share

દિલ્હીઃ ભારતીય માછીમારો ઉપર ગોળીબાર કરવા મુદ્દે ભારત દ્વારા પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં એક ભારતીય માછીમારનું મોત થયું હતું. જ્યારે એક માછીમાર ઘાયલ થયો હતો. આ ઘટનાને પગલે ગુજરાત પોલીસની ટીમે પાકિસ્તાનના 10 જવાનો સામે ફરિયાદ નોધીને તપાસ શરૂ કરી છે. ગોળીબારની આ ઘટનાની ભારતે નિંદા કરી છે.

ભારતીય માછીમારની હત્યા મુદ્દે ભારતે આકરુ વલણ અપનાવ્યું છે. ભારત તરફથી પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ મોકલ્યું છે. બે અલગ-અલગ બોટમાં સવાર પાકિસ્તાન મરિન સિક્યુરિટી એજન્સીના જવાનોએ ભારતીય માછીમારોની બોટ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં મહારાષ્ટ્રના પાલઘરમાં રહેનારા 32 વર્ષિય માછીમાર શ્રીધર રમેશને ગોળી વાગતા તેનું મોત થયું હતું. જ્યારે દિલીપ સોલંકી નામના અન્ય એક ભારતીય માછીમાર ગોળીબારમાં ઘાયલ થયો હતો.