Site icon Revoi.in

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણીપ્રચારના પડઘમ શાંત

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા.1 ડિસેમ્બરના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયાં હતા.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે. પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે આજે સાંજના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થતાની સાથે જ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. બીજી તરફ ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા ખાટલા પરિષદ અને મતદારોના ઘરે-ઘરે જઈને સંપર્ક શરૂ કર્યાં હતા.