1. Home
  2. Tag "election campaign"

દરેક ખેતર અને દરેક ઘરને પાણી આપવું એ મારા જીવનનું એક મોટું મિશનઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમહારાષ્ટ્ર અને તેલંગાણાના ચૂંટણી પ્રવાસે છે. દરમિયાન મહારાષ્ટ્રના માધામાં ચૂંટણી રેલીને સંબોધિ હતી. આ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ માટે પેન્ડિંગ 100 પ્રોજેક્ટ્સમાંથી અમે 63 […]

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા.  જ્યાં હેલિકોપ્ટરમાં સવાર થઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના બની હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે […]

કોંગ્રેસ શાસિત રાજ્યમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. હનુમાન જયંતિ પર તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘બજરંગ બલી કી જય’થી કરી હતી. જે બાદ તેમણે કર્ણાટકની એક ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન હનુમાન ચાલીસા સાંભળી રહેલા એક વેપારીને માર મારવામાં આવ્યો […]

કોંગ્રેસ પાસે નથી કોઈ નીતિ, નિયત અને નેતાઃ અમિત શાહ

ભીલવાડાઃ શારપુર જિલ્લાના શકરગઢ ગામમાં શનિવારે ભીલવાડા સંસદીય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર દામોદર અગ્રવાલના સમર્થનમાં ભાજપની ચૂંટણી મહાસંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, રાજસ્થાનની તમામ બેઠકો ઉપર ભાજપ જીતી રહ્યું છે જેમાં કોઈ શંકા નથી. ભીલવાડા મતદાન વિસ્તારમાં જંગી લીડ સાથે ભાજપા […]

પ્રથમવાર મતદાન કરનારા મતદારાઓએ ચૂંટણીમાં મળેલી તક ગુમાવવી જોઈએ નહીઃ પીએમ મોદી

અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે અમરોહાના ગજરૌલા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ લોકસભા ચૂંટણીની ઉજવણી છે. પીએમ મોદીએ કહ્યું કે જેઓ પહેલીવાર વોટ કરી રહ્યા છે. તેઓએ આ […]

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં રામ નવમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરના સમયે પ્રભુ શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. તેમ છતા સમય નીકળીને રામલલાને […]

ટીએમસી નેતા મહુઆ મોઈત્રાનો ઈડી સામે રજૂ થવાનો ઈન્કાર, કહ્યું- હું ચૂંટણી પ્રચારમાં છું વ્યસ્ત

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાએ ઈડી સમક્ષ રજૂ થવાનો ઈન્કાર કર્યો છે. એજન્સીએ મહુઆ મોઈત્રા અને કારોબારી દર્શનહીરાનંદાનીને સમન જાહેર કરીને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંને વિરુદ્ધ ઈડીએ ફેમાના ઉલ્લંઘનનો મામલો નોંધ્યો છે. આ મામલામાં પૂછપરછ માટે બંનેને એજન્સી દ્વારા સમન જાહેર કરવામાં આવ્યું હતું. મહુઆ મોઈત્રાએ તો પેશીથી ઈન્કાર કર્યો […]

ભાજપ સાથે સીધી ટક્કરવાળી બેઠકો પર INDIA ગઠબંધનની રાહ આસાન નથી, જાણો ક્યાં રાજ્યની કેવી છે સ્થિતિ?

નવી દિલ્હી: દેશમાં ઘણી એવી બેઠકો છે, જેના પર કોંગ્રેસ અને ભાજપનો સીધો મુકાબલો થવાનો છે. ગત બે લોકસભા ચૂંટણીમાં વિપક્ષને આ બેઠકો પર ભાજપની સામે શિકસ્ત મળી છે. આ વખતે કોંગ્રેસ ગઠબંધનની કોશિશ છે કે મુકાબલો ભલે સીધો થાય, પરંતુ ઉમેદવારોને તમામ સહયોગી પક્ષોનો પુરો સહયોગ મળે. ઉમેદવારોની પસંદગીમાં પણ આવી રણનીતિ અપનાવાય રહી […]

એક તીરથી બે નિશાન! કર્ણાટકની આ બે બેઠકોથી ચૂંટણી અભિયાન શા માટે શરૂ કરી રહ્યા છે પીએમ મોદી?

નવી દિલ્હી : 16 માર્ચે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક મહોત્સવ લોકસભા ચૂંટણી 2024નો આગાજ થશે. તેની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકમાં ભાજપ માટે લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલબુર્ગી અને શિમોગા બેઠક પરથી […]

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણીપ્રચારના પડઘમ શાંત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા.1 ડિસેમ્બરના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયાં હતા. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code