Site icon Revoi.in

લવ જેહાદ કાયદા પ૨ હાઈકોર્ટે આપેલા સ્ટે સામે ગુજરાત સ૨કારે સુપ્રીમમાં અપીલ કરી

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ધર્માંતર વિરોધી કાયદો એટલે કે લવ જેહાદ કાયદો ઘડીને તેનો અમલ પણ શરૂ કરી દીધો હતો. પરંતુ આ કાયદા સામે વિરોધનો સૂર ઊઠ્યો હતો.અને તેને ગુજરાત હાઈકાર્ટમાં પડકારવામાં આવતા હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. જેની સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપિલ કરી છે. આમ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ લગ્ન બાદ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન રોકવા માટે લગાવેલા પ્રાવધાનો પણ હાઈકોર્ટે લગાવેલા સ્ટે ને સરકારે સુપ્રીમમાં પડકાર્યો છે.

જમીયત ઉલમા-એ-હિંદ તેમજ મુજાદિદ નફીસ દ્વારા દાખલ કરાયેલી અ૨જી પ૨ હાઈકોર્ટે  આંત૨-ધાર્મિક લગ્નને ક્વ૨ ક૨નારા ધર્માત૨ણ વિરોધી કાયદા હેઠળ 6 પ્રાવધાનો પ૨ રોક લગાવી દીધી હતી, જેને લવ જેહાદ વિરોધી કાયદા તરીકે ઓળખવામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ ર્ક્યુ હતું કે અમુક કલમો આંત૨-ધાર્મિક લગ્નનાં કિસ્સામાં લાગુ નહીં થાય જેમાં બળ વિના, પ્રલોભન અથવા કપટપૂર્ણ રીતે કાર્ય ક૨વામાં આવ્યું હોય. કોર્ટે ઉમેર્યુ કે આ આદેશ આંત૨ ધર્મિય લગ્નનાં પક્ષકારોને બિનજરૂરી રીતે પરેશાન થવાથી બચાવવા માટે છે. ત્યારે સંશોધિત ધર્માત૨ણ વિરોધી કાયદા હેઠળ દાખલ રાજયની પ્રથમ એફઆઈઆ૨માં પીડિતે દાખલ કરેલી એક અ૨જી પ૨ સુનવણી બાદ હાઈકોર્ટ પોતાનો નિર્ણય સુ૨ક્ષિત રાખ્યો હતો.
આ કેસમાં ફરિયાદી પહેલા લવ જેહાદ તરીકે નોંધેલા ગુનાને હવે વૈવાહીક વિવાદ ગણાવે છે તેણે ૨જૂઆત કરી હતી. કે પોલીસે એફઆઈઆ૨માં અતિશપોક્તિ પૂર્ણ આરોપો નોંધ્યા હતા. હવે તે પોતાનાં પતિ સાથે લગ્નજીવન જીવવા ઈચ્છે અને એફઆઈઆ૨ ૨દ ક૨વા માંગે છે. હાઈકોર્ટે અમુક કલમો બાબતે સ્ટે લગાવ્યો છે જેમાં પીડિત પરિવા૨નાં કોઈપણ વ્યક્તિ દ્વારા એફઆઈઆ૨ની જોગવાઈ, આંત૨ધર્મી લગ્નમાં સંકળાયેલા તમામને આરોપી ગણવા. આવા લગ્નને ૨બાતલ જાહે૨ ક૨વા, 3 થી 5 વર્ષ માટેના દંડની જોગવાઈ, 4 થી 7 વર્ષનાં દંડની જોગવાઈ તથા જો આ કાર્યમાં કોઈ સંસ્થા સામેલ હોય તો તેની ગ્રાન્ટ બંધ કરી દેવી તથા પોતે નિર્દોષ છે તે બાબત સાબિત ક૨વા માટે આરોપી પ૨ પુરાવાનો બોજ નાખવો જેવી બાબતોનો સમાવેશ થાય છે.