Site icon Revoi.in

જ્ઞાનવાપી મસ્જિદઃ નંદી નજીક શિવલિંગ મળ્યાનો દાવો

Social Share

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદમાં 14 મેથી ચાલી રહેલું સર્વેનું કામ મંગળવારે પૂરું થયું. હવે સર્વેનો રિપોર્ટ બુધવારે 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ પક્ષકારો દ્વારા તમામ પ્રકારના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં હિંદુ પક્ષના મતે મસ્જિદમાંથી વુઝુખાના પાસે નંદીના મોં આગળ 12 ફૂટ 8 ઈંચ વ્યાસનું શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હિન્દુ પક્ષ શિવલિંગ મળ્યાના દાવાને લઈને કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તેને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે. તેમજ તે જગ્યાએ કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો જોઈએ. બીજી તરફ, હિંદુ પક્ષ કોર્ટમાં રિપોર્ટ રજૂ ન થાય ત્યાં સુધી વજ્જુ ખાનાને સાચવવાની માંગણી કરી હતી.

હિન્દુ પક્ષનું કહેવું છે કે, વજુખાનાની બરાબર મધ્યમાં ત્રીસ બાય ત્રીસ ફૂટની આકૃતિ મળી આવી છે. જેના વિશે હિન્દુ મક્કમતાથી દાવો કરે છે કે તે શિવલિંગ છે. જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તે એક ફુવારાનો ભાગ છે જે દસ વર્ષ પહેલા સુધી કામ કરતું હતું. દરમિયાન વજુખાનામાં પાણી ભરાયા છે. જેથી નમાઝીઓને કોઈ મુશ્કેલી ન પડે અને સીઆરપીએફના સુરક્ષાકર્મીઓ હોય. જેથી વજુખાના સાથે કોઈ છેડછાડ ન કરી શકે. બીજી તરફ મુસ્લિમ પક્ષના વકીલ મુમતાઝ અહેમદે કહ્યું કે બાબા મળ્યા નથી, તેમના કહેવા ઉપર આદેશ નહીં થાય તેમજ કંઈ મળી આવ્યું નથી.