Site icon Revoi.in

શું તમે જાસૂદના ફૂલને ક્યારેય ખાધા છે, જેને ખાવાથી સ્વાસ્થ્યને થાય છે આટલા ફાયદાઓ

Social Share

સામાન્ય રીતે ફૂલો સ્ત્રીોની સુંદરતામાં વધારો કરે છે,ઘરેણાઓ બની ને તો ક્યાક માથાનમી હેરસ્ટાઈલમાં સજીને, તો બીજી તરફ ફૂલો ભગવાનના શરણે અને મસલ્તકે પણ શોભે છે, તો ઘણા ફૂલો આપણા ઘરની દિવાલો કે ઘરના આગંણ કે ઘરના દ્રારને શોભાવામાં ઉપ.યોગ ીહોય છે, પરંતુ કેટલાક ફુલ એવા હોય છે જે સુંરતાની સાથે સાથે આરોગ્યને પણ ઘણો ફાયદો કરે છે,તેમાંનું એક ફુલ છે જાસૂદનું ફુલ જે સુંદરતામામં વધારો કરવાની સાથે સાથે આરોગ્યને કેટલીક રીતે ફાયદો પહોંચાડે છે,તેના અલગ અલગ તત્વોના જેમકે ,તેલ પાન, રસનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદાઓ છોય છે,
સામાન્ય રીતે જાસૂદનું ફૂલ લાલ, ગુલાબી, સફેદ અને પીળા રંગ સહિત ઘણા બધા રંગમાં મળે છે.સ્વાસ્થ્ય મામલે લાલ જાસૂદ ઉત્તમ ગણાય છે.આ ફૂલમાં રાઈબો ક્લોવિન, નિયાસિન જેવા વિટામિનની સાથોસાથ વિટામિન C હાજર હોય છે જે આરોગ્યને તંદુરસ્ત રાખવામાં મદદરુપ સાબિત થાય છે.

કેટલાક દેશોમાં હાર્ટ ડિસીઝ અને બ્લડ પ્રેશરથી બચવા માટે જાસૂદની ચા પીવામાં આવે છે.
જાસૂદના બેથી ત્રણ ફૂલના પત્તા લો. હવે આ પત્તા એકથી દોઢ ગ્લાસ પાણી નાખીને ઉકાળી લો. થોડા સમય માટે એમજ તેને રહેવાદો. પાંચથી દસ મિનિટ પછી તેને ગાળી લો. તેમાં બે-ત્રણ ટીપા લીંબુનો રસ નાખીલો તૈયાર છે જાસૂદની લેમન ટી,હવે તેનું સેવન કરો.જે આરોગ્ને ફાયદો કરે છે.

આ સાથે જ માઈલ્ડ બ્લડ પ્રેશરના દર્દીઓ જે એક્સર્સાઈઝ અને ઓછું મીઠું ખાઈને બીપી કંટ્રોલમાં રાખવા ઈચ્છે છે તેમના માટે જાસબદની ચા ફાયદાકારક છે.

આ પાણી મહિલાઓની પીરિયડ્સની તકલીફ પણ ઓછી કરવામાં મદદ રુપ સાબિત થાય છે.
આ સાથે જ જાસૂદની આ ચા બ્રેન ટોનિકની જેમ હોય છે, મેમરી લોસ, એન્ઝાયટી અને પેનિક અટેકથી પીડિત લોકોને આ ચાથી ફાયદો થાય છે. જે લોકો કબજિયાતની તકલીફ હોય તેમણે પણ આ ફૂલનો ઉપયોગ કરવો.
વાળ માટે પણ જાસૂદ રામબાણ ઈલાજ છે, જાસૂદના તેલથી વાળ કાળા અને ઘ્ટટ બને છે.
આ સાથે જ બળતરા કે ખંજવાળ પર જાસૂદના 3-4 ફૂલની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે.

જાસૂદના તેલની માલિશ કરવાથી નાના બાળકોના મશલ મજબૂત બને છે
જાસૂદના ફૂલની પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવી થોડી વાળ બાદ વાળ ઘોઈલો તેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.