Site icon Revoi.in

ઈન્ડિયન મેડિકલ એસો, દ્વારા કોરોનાનો ભય દુર કરવા અને લોકોને માર્ગદર્શન આપવા હેલ્પલાઈન શરૂ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસને લીધે તબીબો લોકોની મદદમાં આવી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચે કોરોના સંદર્ભે લોકોને સતાવતા પ્રશ્નો અને મૂંઝવણ અને સમાધાન લાવવાના પ્રયાસ કરશે. જેને લઇને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં તબીબો લોકોને કોરોના સંદર્ભે સતાવતી મૂંઝવણ અને સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરશે.

ઈન્ડિયન મેડિકલ એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ કેસ જોવા મળે તેવી શક્યતા છે. જેને લઇને સાવધાની સાથે લોકો તકેદારી રાખે તે માટે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એસોસિયેશન સાથે સંકળાયેલા તબીબો હેલ્પ લાઈન મારફતે લોકોનું વિનામૂલ્યે કાઉન્સિલિંગ કરશે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની વેબસાઈટ પર કાઉન્સિલિંગની સેવા માટે તૈયાર થયેલા ડોક્ટરોની નંબર સાથેની યાદી મૂકવામાં આવી છે. આ હેલ્પલાઇન પર ડોક્ટરો દર્દીઓ તથા લોકોને કોરોના સંદર્ભે સાવચેતી રાખવા તથા ડર્યા વિના હાલની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકાય, ઉપરાંત કોરોના સંક્રમિત દર્દીઓની મૂંઝવણ દૂર કરી તેમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે કાઉન્સિલિંગના માધ્યમથી પ્રયાસ કરવામાં આવશે.સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી હેલ્પલાઈન સેવારત રહેશે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ હેલ્પલાઈન સેવા સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી રહેશે. વર્તમાન પરિસ્થિતિમાં લોકો ગભરાય નહીં અને સાવચેતીપૂર્વક વર્તમાન પરિસ્થિતિનો સામનો કરે તે માટે લોકોની સેવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવા આજે 15 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી ચાલશે. અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે એસોસિયેશનનાં હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય મંત્રીએ એસોસિયેશનને હાલની પરિસ્થિતિને જોતા લોકોમાં ડરનો માહોલ ન ફેલાય તે માટે પ્રયાસ કરવા કહ્યું હતું. જે સંદર્ભે આ હેલ્પ લાઇનની શરૂઆત કરવામાં આવી છે.