Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના લોકોને કરી અપીલ,જાણો શું કરી અપીલ

Social Share

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મણિપુરના લોકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 પર નાકાબંધી હટાવવાની અપીલ કરી હતી જેથી કરીને ખોરાક, દવા અને બળતણ જેવી મૂળભૂત અને આવશ્યક વસ્તુઓ રાજ્ય સુધી પહોંચી શકે.

શાહે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને સિવિલ સોસાયટીના સભ્યોને આ બાબતે પહેલ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું, “મણીપુરના લોકોને મારી નમ્ર અપીલ છે કે તેઓ ઇમ્ફાલ-દીમાપુર નેશનલ હાઇવે-2 પરનો નાકાબંધી હટાવે જેથી કરીને લોકો સુધી ખોરાક, દવાઓ, પેટ્રોલ/ડીઝલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચી શકે.”

શાહે કહ્યું, “હું પણ વિનંતી કરું છું કે નાગરિક સંગઠનો સર્વસંમતિ બનાવવા માટે જરૂરી પગલાં લે.” શાહે ટ્વીટમાં વધુમાં કહ્યું, “માત્ર સાથે મળીને આપણે આ સુંદર રાજ્યમાં સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરી શકીએ છીએ. મેઇતી સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિના દરજ્જાની તેમની માગણીના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’ ના આયોજન બાદ મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી.

જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે 29મી મે 2023 થી 1લી જૂન 2023 દરમિયાન મણિપુર રાજ્યની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તપાસ પંચની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી.

કમિશન તેનો અહેવાલ કેન્દ્ર સરકારને શક્ય તેટલી વહેલી તકે સુપરત કરશે પરંતુ તેની પ્રથમ બેઠકની તારીખથી છ મહિના પછી નહીં. કમિશનનું મુખ્યાલય ઇમ્ફાલમાં હશે.

Exit mobile version