Site icon Revoi.in

આડાસંબંધનો આડો ખેલઃ પતિએ પત્ની-પ્રેમીને ગોળીમારી કર્યો આપઘાત, પતિ-પ્રેમીનું મોત

Social Share

નવી દિલ્હીઃ આડાસંબંધનો અંજામ હંમેશા કરૂણ જ આવે છે, હિમાચલ પ્રદેશના મનાલીમાં પતિએ પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા. જેથી ઉશ્કેરાયેલા પતિએ રિવોલ્વરમાંથી પત્ની અને તેના પ્રેમી ઉપર ફાયરિંગ કર્યું હતું. તે પછી પતિએ ગોળીમારીને આપઘાત કર્યો હતો. આ બનાવમાં પતિ અને પ્રેમીનું મોત થયું હતું. જ્યારે પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની રવલીન કૌર મનાલીમાં હોટલ ચલાવે છે અને તેનો પતિ ઋષભ સક્સેના દિલ્હીમાં રહે છે. પત્નીથી દૂર રહેતા ઋષભને રવલીન કૌરના આડાસંબંધોને લઈને શંકા હતી. દરમિયાન અચાનક ઋષભ મનાલી ગયો હતો. જ્યાં પત્ની અને તેના પ્રેમી સન્ની શેરાવતની કઢંગી હાલતમાં ઝડપી લીધા હતી. જેથી પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. દરમિયાન પતિએ પોતાની પાસેથી રિવોલ્વરમાંથી પત્ની અને તેના પ્રેમી ઉપર ફાયરિંગ કર્યું હતું. જે બાદ પોતાની જાતને પણ ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ગોળીમારની આ ઘટનામાં પ્રેમી અને પતિનું મોત થયું હતું. જ્યારે પરિણીતાને હાથમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી.

આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ આરંભી છે. આ બનાવને પગલે તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.