Site icon Revoi.in

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો….

Social Share

કાશી વિશ્વનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જે કાશીમાં પવિત્ર ગંગા નદીના પશ્ચિમ કિનારે આવેલું છે. પવિત્ર શ્રાવણ મહિનામાં જ્યોતિર્લિંગો અને મંદિરોમાં ભગવાન શિવના દર્શન અને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. 12 જ્યોતિર્લિંગોમાં કાશી વિશ્વનાથ સાતમા નંબરે છે. આ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થાપિત છે.

ભગવાન શિવ માતા પાર્વતીની કહેવા પર, તેમના લગ્ન પછી કૈલાશથી કાશી લઈને આવ્યા હતા. કાશી આવ્યા પછી, વિશ્વનાથ ત્યાં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થયા. બાબા વિશ્વનાથની નગરી કાશી ત્રિશુલના છેડે આવેલું છે. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ એ તમામ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી પવિત્ર છે, જેને બ્રહ્માંડના ભગવાન કહેવામાં આવે છે.

પુરાણો અનુસાર કાશી ભગવાન વિષ્ણુનો વાસ હતો. આ પછી ભગવાન શિવને કાશી એટલી ગમી ગઈ કે તેમણે વિષ્ણુ પાસે પોતાનું નિવાસસ્થાન માંગ્યું. આ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કરવા અને ભગવાન વિશ્વેશ્વર એટલે કે વિશ્વના શાસક ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે ભક્તો દૂર-દૂરથી અહીં આવે છે.

Exit mobile version