Site icon Revoi.in

કેબિનેટનો મહત્વનો નિર્ણય -કેન્દ્રિય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાશે

Social Share

દિલ્હીઃ- કેન્દ્રીય કર્મચારીઓને સરકારે મોટી રાહત મળી છે, કારણ કે દીવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે. 7માં પગાર પંચ અંતર્ગત ડીએ વધારામાં સરકાર દ્વારા 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વાતજાણે એમ છે કે  જૂનમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના ડેટા બહાર આવ્યા બાદ એવી આશા રાખવામાં આવતી હતી કે મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થશે. પરંતુ હવે તેની જાહેરાત હવે કરવામાં આવી છે. કેબિનેટે આ માટે મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે 4 ટકાના વધારા મુજબ 7મા પગારપંચના આધારે પગાર મેળવનારા તમામ લોકોને 18 હજાર રૂપિયાના મૂળ પગાર પર ડીએમાં 720 રૂપિયાનો વધારો મળશે અને આ વધારો દર મહિને 1,000 રૂપિયા થશે. મૂળ પગાર 25 હજાર  છે. તેવી જ રીતે, 50 હજાર  બેઝિક પગાર મેળવનારાઓને દર મહિને 2 હજાર રૂપિયાનો લાભ મળશે અને જેઓ મૂળ પગાર એટલે કે 1 લાખ રૂપિયા મેળવે છે તેમને મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા પછી કુલ પગારમાં 4 હજાર રૂપિયાનો લાભ મળશે.

 ઉલ્લેખનીય છે કે  મોંઘવારી ભથ્થુંમાં વધારો એઆઇસીપીઆઇના ડેટા પર આધારિત છે. સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્ર દ્વારા આ પહેલા માર્ચ મહિનામાં સામા પગાર પંચ અતંર્ગત મોંઘવારી ભથ્થુ 3 ટકા વધાર્યું હતું અને ત્યારે ડીએ વધીને 34 ટકા પર પહોંચી ગયો હતો. જે હવે 38 ટકા થતાં કર્મચારીઓના પગારમાં દીવાળી પહેલા વધારો મળશે