Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદ્ક વાતાવરણ સર્જાયું

Social Share

રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કેવડિયા અને સાગબારા ડેડિયાપાડા પંથકમાં વરસાદ નોંધાયો હતો. ગત રાતથી જિલ્લાના ડેડિયાપાડા સાગબારા અને કેવડિયામાં ધીમી ધારે વરસાદ સતત પડ્યો છે, જેનાથી ખેડૂતોને ખેતીમાં ફાયદો થયો છે અને ચારેકોર જિલ્લામાં ઠંડક પ્રસરી છે. રાજ્યના પ્રવાસ સ્થળ તરીકે દેશ અને વિશ્વભરમાં નામના મેળવેલા કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળોએ ખીલી હોય તેમ અનોખો નજારો સર્જાયો હતો.

કેવડિયા વિસ્તારમાં શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી બેઠ્ઠો વરસાદ વરસતાં આહલાદક વાતાવરણ જોવા મળ્યુ હતું.. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પડેલા વરસાદને લીધે પ્રકૃતિ સોળા કળાએ ખીલી ઊઠી છે, જેના લીધે નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે મીની કાશ્મીર જેવાં આહલાદક દૃશ્યો સર્જાયાં છે. સતત વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 8 હજાર 558 ક્યુસેક પાણી આવક થઇ રહી છે. હાલ નર્મદા ડેમ 114.38 મીટર પર પહોંચી છે. ધીમે ધીમે સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવરના CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે અને વીજ ઉપ્તાદન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે અને સરદાર સરોવર છલોછલ ભરાશે એવી શક્યતાઓ નર્મદા નિગમના આધિકારીઓ રાખીને બેઠા છે. હાલ પાણીની આવક થતાં સૌરાષ્ટ્ર કચ્છ સુધી પાણી પહોંચાડવા નર્મદાની મુખ્ય કેનાલમાં 8409 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.