Site icon Revoi.in

ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે,બીજી વખત સોંપવામાં આવશે કમાન

Social Share

દિલ્હી:ભારત જાન્યુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે. તેમને 2012 પછી આ સમિતિની કમાન સોંપવામાં આવી રહી છે. વાસ્તવમાં અમેરિકાના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના આતંકવાદી હુમલા બાદ સપ્ટેમ્બર 2001માં UNSC દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી.

ગયા મહિને ભારતે UNSC સભ્યપદમાં સતત બાકાત અને અસમાનતાને સંબોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે,વિકાસશીલ વિશ્વના “અર્થપૂર્ણ અવાજ” ને ક્યાં સુધી અવગણવામાં આવશે. આ સાથે ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે,શાંતિ અને સુરક્ષા જાળવવા માટે વૈશ્વિક માળખામાં સુધારાની જરૂર છે.

વર્તમાન અધ્યક્ષ મેક્સિકોની આગેવાની હેઠળની સુરક્ષા પરિષદ ખાતે ‘ઓબ્ઝર્વન્સ ઓફ ઈન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યોરિટીઃ એક્સક્લુઝન, અસમાનતા અને સંઘર્ષ’ વિષય પર ખુલ્લી ચર્ચાને સંબોધતા, વિદેશ રાજ્ય મંત્રી ડૉ. રાજકુમાર રંજન સિંહે કહ્યું કે,શાંતિ જાળવવી જરૂરી છે. અને સુરક્ષા અને શાંતિ નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય માળખામાં સુધારાની જરૂર છે. સુરક્ષા પરિષદના સભ્યપદમાં સતત બાકાત અને અસમાનતા પર ધ્યાન આપવાની જરૂર છે.