1. Home
  2. Tag "terrorism"

ઓડિશામાં સુરક્ષા જવાનો સાથે અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં

ઘટના સ્થળો ઉપરથી મારક હથિયારો મળ્યાં સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં સુરક્ષા જવાનોએ છત્તીસગઢમાં 29 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં હતા. દરમિયાન ઓડિશાના બૌધ જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં હતા. સુરક્ષા […]

આતંકીઓ કોઈ નિયમ નથી માનતા તો તેમના ખાતમા માટે કોઈ નિયમ ના હોયઃ એસ.જયશંકર

મુંબઈઃ પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે યુવાનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 2014થી ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આતંકવાદ સામે લડવાનો આ રસ્તો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતનો પાડોશી દેશ છે, તેના માટે માત્ર અમે જ જવાબદાર છીએ. વિદેશ મંત્રી જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું કે, 1947માં […]

આતંકવાદને ખતમ કરવા પાકિસ્તાન મદદ માંગશે તો ભારત મદદ કરવા તૈયાર છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનને વર્ષોથી આતંકવાદ ઉપર કાબુ મેળવવાનું કહેનાર ભારતે હવે પાકિસ્તાનને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન આતંકવાદને રોકી ના શકતું હોય તો ભારત મદદ કરવા તૈયાર છે. તાજેતરમાં જ રાજનાશ સિંહે કહ્યું હતું કે, જો ભારતમાં કોઈ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને ઘરમાં ઘુસીને […]

અચાનક ગાઝા પટ્ટીથી સેનાને પાછી કેમ બોલાવી રહ્યું છે ઈઝરાયલ? IDF કમાન્ડરે જણાવ્યો નવો પ્લાન, ઈરાન સાથે યુદ્ધ પર પણ કરી ટીપ્પણી

તેલ અવીવ: ગત વર્ષ ઓક્ટોબરમાં શરૂ થયેલા ઈઝરાયલ અને હમાસની વચ્ચેના યુદ્ધને 6 માસ પસાર થઈ ચુક્યા છે. ઈઝરાયલી સેના દ્વારા ગાઝા પર કરવામાં આવેલા હુમલામાં લગભગ 33 હજાર પેલેસ્ટાઈનવાસીઓના મોત નીપજ્યા છે. ઈઝરાયલની સેનાએ રવિવારે આનું એલાન કર્યું છે કે તેણે દક્ષિણી ગાઝાના શહેર ખાન યૂનિસથી પોતાની સેના પાછી બોલાવી લીધી છે. અધિકારીઓનું કહેવું […]

જિનેવામાં 148મી IPU એસેમ્બલીમાં આતંકવાદ મુદ્દે ભારતનું આકરુ વલણ, પાકિસ્તાને આડે હાથ લીધુ

નવી દિલ્હીઃ જિનીવામાં આંતર-સંસદીય સંઘની 148મી બેઠકને સંબોધતા ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું છે કે ઈસ્લામાબાદને જમ્મુ અને કાશ્મીરમાં સીમાપારથી આતંકવાદી હુમલાઓ ચાલુ રાખતા આતંકવાદી ફેક્ટરીઓને રોકવાની સલાહ આપવી જોઈએ. નવી દિલ્હીએ કહ્યું કે ઈસ્લામાબાદનો આતંકવાદીઓને આશ્રય આપવા, મદદ કરવાનો અને સક્રિયપણે સમર્થન કરવાનો સ્થાપિત ઈતિહાસ છે. આ વાત જીનીવામાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની […]

પાકિસ્તાનનની સરન્ડર સેના, તાલિબાનો સામે પાડોશી દેશના 100 સૈનિકોએ ટેકવ્યા ઘૂંટણિયા

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. બંને દેશોની સ્થિતિ ઘણી વણસી ચુકી છે. શનિવારે તાલિબાન સમર્થિત આતંકવાદીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઉત્તર વજીરિસ્તાનના જિલ્લાના મીર અલી શહેરમાં એક સૈન્ય ઠેકાણા પર હુમલો કરીને સાત પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા. પાકિસ્તાને નારાજ થઈને આ આતંકી હુમલાના બદલામાં સોમવારે સવારે ત્રણ વાગ્યે એરસ્ટ્રાઈક […]

જેટલું જલ્દી ઉકેલી લો, એટલું સારું: સીમા વિવાદ પર જયશંકરની ચીનને સલાહ

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે બંને દેશોની હાલની સ્થિતિથી કોઈપણ દેશને લાભ થયો નથી. તેમણે સોમવારે સાંજે એક પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની હાજરી ઘટાડવા અને હાલના કરારોને જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. […]

જેલમાં કેદીઓને આતંકી બનાવવાનો લશ્કરે તૈયબાનો ખેલ, NIAના 17 સ્થાનો પર દરોડા

નવી દિલ્હી: બેંગલુરુની જેલમાં આતંકવાદી બનાવવાના ખેલને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સાત રાજ્યોના 17 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. આ મામલામાં એનઆઈએ એક વર્ષથી તપાસ કરી રહી છે. લશ્કરે તૈયબાના આતંકવાદી ટી. નસીર પર આરોપ છે કે તે બેંગલુરુ સેન્ટ્રલ જેલની અંદર પણ કેદીઓને આતંકવાદી બનાવવામાં લાગેલો હતો. આ સિવાય બેંગલુરુ કાફે બ્લાસ્ટ મામલામાં […]

આતંકવાદ સામે NIAની કાર્યવાહી, ચાર રાજ્યમાં પાડ્યાં દરોડા

કર્ણાટકમાં 19 સ્થળો ઉપર તપાસનો ધમધમાટ કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં પણ દરોડા દરોડામાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા આતંકવાદી સંગઠનોના નેટવર્કને તોડી પાડવા માટે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન […]

આતંકવાદની નવી વ્યાખ્યામાં આર્થિક સુરક્ષા માટેના ખતરાનો પણ સમાવેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા નવા ફોજદારી કાયદામાં પહેલીવાર આતંકવાદ એટલે કે આતંકવાદી કાયદા માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ભારતની આર્થિક સ્થિરતા અને સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે અને તેના માટે નકલી નોટો અથવા સિક્કાઓની દાણચોરી કરે છે, બનાવે છે અથવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code