Site icon Revoi.in

ભારતીય નૌકાદળના ત્રણ દિવસીય સમ્મેલનનો આજથી આરંભ -ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાના ઉપાય પર ચર્ચા

Social Share

દિલ્હીઃ- ાજરોજ તારીખ 4 સપ્ચેમ્બરના દિવસથી ભારતીય નૌકાદળનું ત્રણ દિવસીય સમ્મેલનની શરુાત થવા જઈ રહી છે આ સમ્મેલનનો હેતું દેશની ત્રણય સેનાઓ વચ્ચે સુમેળ સાંઘવાનો છે સાથે જ  હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય શક્તિ વચ્ચે આ સમ્મેલનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે

માહિતી અનુસાર ટોચના નેવી કમાન્ડરો આજથી શરૂ થનારી ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભારતના દરિયાઈ સુરક્ષા પડકારોની વ્યાપક ચર્ચા કરશે અને સમીક્ષા કરશે. જેમાં ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાના ઉપાયો પર પણ ચર્ચા કરાશે.

આ સહીત NSA, આર્મી અને ભારતીય વાયુસેનાના વડાઓ સાથેની કોન્ફરન્સ અને વાર્તાલાપનો ઉપયોગ ઓપરેશનલ વાતાવરણનું વિશ્લેષણ કરવા, ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલના મુદ્દા પર વિચાર-વિમર્શ કરવા અને દરિયાઈ દળોની સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે પણ કરવામાં આવશે.

કોન્ફરન્સમાં આગામી મહિનાઓમાં આગળ લઈ જવાના કોર્સ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ પરિષદ વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે નેવલ કમાન્ડરોની સંસ્થાકીય ક્રિયાપ્રતિક્રિયાની તક પૂરી પાડશે જેથી દેશના સર્વાંગી આર્થિક વિકાસ માટે જરૂરી સુરક્ષિત દરિયાઈ વાતાવરણના વિકાસની દિશામાં અનેક આંતર-મંત્રાલય પહેલો આગળ ધપાવવામાં આવે.

આ સમ્મેલનને લઈને સેનાના અધિકારીઓએ માહિતી આપી હતી આ કોન્ફોરન્સમાં કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરી કોન્ફરન્સમાં નેવલ કમાન્ડરો સાથે વાતચીત કરશે.

આ સહીત નેવી ચીફ એડમિરલ આર. એડમિરલ હરિ કુમારના નેતૃત્વમાં ભારતીય નૌકાદળના વરિષ્ઠ નેતૃત્વ, છેલ્લા છ મહિના દરમિયાન હાથ ધરવામાં આવેલી મુખ્ય ઓપરેશનલ, સામગ્રી, લોજિસ્ટિક્સ, માનવ સંસાધન, તાલીમ અને વહીવટી પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે.