દિલ્હી – આત્માનિર્ભર તરફ ભારતએ વધુ એક પગલું ભર્યું છે, જાણકારી પ્રમાણે ભારતીય નૌકાદળ અને ડિઆરડીઓ એ આજરોજ સ્વદેશી રીતે વિકસિત નેવલ એન્ટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
માહિતી મુજબ આ પરીક્ષણ સીકિંગ 42બી હેલિકોપ્ટરથી કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારત દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે.
આ પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. ફાયરિંગ સીકર અને ગાઈડન્સ ટેક્નોલોજી સહિત ચોક્કસ મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હોવાનું કહેવાય છે.