Site icon Revoi.in

આત્મનિર્ભર તરફ ભારતનું વધુ એક સફળપગલું – નૌસેના એ સ્વદેશી એન્ટિ-શિપ મિસાઇલનું કર્યુ સફળ પરીક્ષણ

Social Share
દિલ્હી – આત્માનિર્ભર તરફ  ભારતએ વધુ એક પગલું ભર્યું છે, જાણકારી પ્રમાણે  ભારતીય નૌકાદળ અને ડિઆરડીઓ એ આજરોજ   સ્વદેશી રીતે વિકસિત નેવલ એન્ટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.

માહિતી મુજબ આ પરીક્ષણ સીકિંગ 42બી હેલિકોપ્ટરથી કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારત દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે.

આ પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. ફાયરિંગ સીકર અને ગાઈડન્સ ટેક્નોલોજી સહિત ચોક્કસ મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હોવાનું કહેવાય છે.