Site icon Revoi.in

જાણો ભારતીય મૂળના ડૉ. સ્વાતિ મોહન વિશે, જેના થકી નાસાએ મંગળ પર સફળ લેન્ડિંગ કરી ઇતિહાસ રચ્યો

Social Share

ડૉ. સ્વાતિ મોહને કહ્યું, મંગળ ગ્રહ પર ટચડાઉનની પુષ્ટિ થઇ ચૂકી છે. હવે અહીંયા જીવન હોવાના સંકેતોની તપાસ શરૂ કરવા માટે નાસા તૈયાર છે

કેલિફોર્નિયા: અમેરિકી સ્પેસ એજન્સીના રોવર પરસિવરેંસે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યું છે. પરસિવરેંસ રોવર ધરતી પરથી ટેકઓફ થયાના 7 મહિના બાદ મંગળ ગ્રહ પર પહોંચ્યો છે. ભારતીય સમય મુજબ ગુરુવાર-શુક્રવારે રાત્રે 2.25 વાગ્યે રોવરે લાલ ગ્રહની સપાટી પર લેન્ડીંગ કર્યું હતું. રોવરની સફળ લેન્ડીંગને જોતા પ્રયોગશાળામાં પ્રોજેક્ટ પર કામ કરતા વૈજ્ઞાનિકોમાં આનંદ છવાયો હતો. નાસાના આ મહત્વપૂર્ણ અને સફળ મિશન પાછળ ભારતીય મૂળના ડૉ.સ્વાતિ મોહનનું યોગદાન છે. ચાલો આજે તેમના વિશે વાંચીએ.

કોણ છે ડૉ. સ્વાતિ મોહન?

અનેક મહત્વના મિશનોમાં તેમનું છે યોગદાન

પર્સેવરેંસ રોવરની સફળતા

ડૉ. સ્વાતિ મોહનનું કહેવું છે કે, “નાસાના JPLમાં કામગીરી કરતી વખતે દરેક સમયે અનેક નવા પડકારોનો સામનો થાય છે. અહીંયા દુનિયાના વિકાસ અંગેની ચર્ચા વિચારણા થાય છે. અંતરીક્ષની યાત્રાઓ વિશે ચર્ચા થાય છે. અહીંયા કામ કરવાથી પ્રેરણા મળે છે. એટલે જ હું બ્રહ્માંડમાં એવી અનંત જગ્યાઓને જોવા અને સમજવા માંગુ છું કે જેના વિશે સામાન્ય વ્યક્તિ વિચારી પણ ના શકે. તેથી જ હું આ લક્ષ્ય સાથે નાસાના અલગ અલગ મહત્વાકાંક્ષી મિશનમાં સામેલ થઇને એવું જીવન વ્યતિત કરવા ઇચ્છું છું.

 (સંકેત)