Site icon Revoi.in

પાદરીની ધમકી છતા જૈન ધર્મી રાજા કુમુદ અને ગોવાના જૈનોએ ધર્મ પરિવર્તન કર્યું ન હતું

Social Share

પૂ.આ.ભ શ્રી વિજયમુનિચંદ્ર સુરીશ્વરજી મ.સા લખ્યું છે કે, જૈન ધર્મી રાજા કુમુદ અને ગોવાના બધા બાવીસ હજાર જૈનોને ધર્મ પરિવર્તન માટે પાદરીઓએ ધમકી આપી કે, છ મહિનામાં જૈન ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લો અથવા મરવા માટે તૈયાર થઈ જાઓ.  રાજા કુમુદ અને બધા જૈન મરવા તૈયાર થયા પરંતુ ધર્મ પરિવર્તન કરવા ક્યારે તૈયાર ન થયા. છ મહિના પછી પાદરી જેવીયરે જૈનોને ધર્મપરિવર્તન કરવા સામ-દામ-દંડ-ભેદ વગેરે બધા પ્રયાસ કરી બતાવ્યા. જ્યારે એક પણ જૈન ખ્રીસ્તી થવા તૈયાર ન થયો ત્યારે ક્રૂર જેવિયરે પોર્ટુગીઝ લશ્કરને બધાની કતલ કરવાનું સૂચન કર્યું. એક પછી એક બધાની નિર્દયતાથી કતલ કરી દીધી