Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં કાશ્મીરી પંડિત પર આતંકીઓએ કર્યું ફાયરિંગ,આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી   

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો છે. આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આ ઘટનાને અંજામ આપ્યો છે.સંજય નામના વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

કાશ્મીર ઝોન પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ સંજય શર્મા નામના લઘુમતી પર ગોળીબાર કર્યો હતો.તે પુલવામા જિલ્લાના અચાનનો રહેવાસી છે.આ ઘટના બની ત્યારે સંજય સ્થાનિક બજારમાં જઈ રહ્યો હતો.સંજય શર્માને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમના ગામમાં એક સશસ્ત્ર ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યો હતો. હવે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.