Site icon Revoi.in

કંગના રનોતે કેન્દ્રીય માહિતી-પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સાથે મુલાકાત કરી, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

Social Share

મુંબઈ: બોલિવુડ ક્વીન કંગના રનોતે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સાથે મુલાકાત કરી હતી અને કંગનાએ આ મીટિંગની તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. કંગનાએ પ્રકાશ જાવડેકર સાથે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, આજે શૂટિંગ બાદ માનનીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરને મળવાની તક મળી. આ સમય દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ અને બહારના લોકો પ્રત્યેના ભેદભાવથી સંબંધિત ઘણા મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી.બાદમાં કંગનાએ પ્રકાશ જાવડેકરનો આભાર માન્યો હતો.

કંગનાના વર્કફ્રન્ટ વિશેની વાત કરીએ તો કંગના રનોતની બહુ રાહ જોવાતી ફિલ્મ ‘થલાઇવી’ 23 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની છે. ત્રિભાષીય ફિલ્મ હિન્દી,તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન એ.એલ. વિજય દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ અને ભાગ્યશ્રી પણ મુખ્ય ભૂમિકામાં છે.

કંગના ‘તેજસ’, ‘થલાવી’ અને ‘ધાકડ’ ઉપરાંત ઘણી ફિલ્મોમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા તેણે ‘મણિકર્ણિકા રિટર્ન્સ’ ની પણ જાહેરાત કરી હતી. તે એક ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા પણ નિભાવશે.

-દેવાંશી