Site icon Revoi.in

લોકસભા ચૂંટણીના પરિણામો પર કંગના રનૌતનું મોટું નિવેદન

Social Share

મુંબઈ : હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારી હિન્દી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતએ સોમવારે કહ્યું કે,આગામી લોકસભા ચૂંટણીના પરિણામો 2019 જેવા જ હશે. અહીં એક સંતના આશ્રમમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો દ્વારા આગામી લોકસભા ચૂંટણી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રનૌતે કહ્યું, “આખા દેશમાં 2024ને લઈને ઘણી ઉત્સુકતા છે.”

મને લાગે છે કે 2024માં પણ એવું જ થશે જેવું 2019માં થયું હતું. અન્ય એક પ્રશ્નના જવાબમાં રનૌતે સમલૈંગિક લગ્નને ‘હૃદયનો સંબંધ’ ગણાવીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે લગ્ન એ દિલનો સંબંધ છે અને જ્યારે લોકોના દિલ મળે અને તેમની પસંદગી હોય ત્યારે આપણે શું કરી શકીએ.

ફિલ્મ અભિનેત્રીએ કહ્યું કે ઉત્તરાખંડ દેવભૂમિ છે અને અહીં આવીને તેને ખૂબ સારું લાગે છે. તેમણે કહ્યું કે તેમણે વાંચ્યું હતું કે પાંડવો કેદારનાથ ગયા હતા અને ત્યારથી તેમની કેદારનાથની મુલાકાત લેવાની ખૂબ ઈચ્છા હતી જે હવે પૂરી થઈ છે. તેમણે કહ્યું કે દેશમાં મોદી સરકાર હાલમાં નદીઓ અને ધાર્મિક સ્થળોની સુધારણા માટે સારું કામ કરી રહી છે. આ પહેલા રનૌત અહીં દક્ષિણ કાલી મંદિર પહોંચ્યા હતા અને પૂજા કર્યા બાદ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરી પાસે આશીર્વાદ લીધા હતા.ઉલ્લેખનીય છે કે,આગામી લોકસભાની ચુંટણી યોજવાની છે જેને લઈને તૈયારી શરુ કરી દેવામાં આવી છે.