Site icon Revoi.in

કંગના રનૌત નાથદ્વારમાં શ્રીનાથજીના શરણે

Social Share

દિલ્હીઃ નેશનલ એવોર્ડ મેળનાર સુપ્રસિદ્ધ અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ થલાઈવી તા. 23મી એપ્રિલના રોજ રિલીઝ થવાનું છે. દરમિયાન ફિલ્મ અભિનેત્રી નાથદ્વાર પહોંચી હતી. જ્યાં શ્રી નાથજી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને થલાઈવીની સફળતા માટે આશીર્વાદ લીધા હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતની થલાઈવીનું તાજેતરમાં જ ટ્રેલર રજૂ થયું હતું. જેને લોકોએ પસંદ કર્યું છે. તેમજ ફિલ્મની હવે રાહ જોઈ રહ્યાં છે. તમિલનાડુના પૂર્વ સી.એમ. સ્વ. જયલલિતાના જીવન ઉપર બનેલી આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રજૂ થશે. ફિલ્મમાં કંગનાની સાથે અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ અને ભાગ્ય શ્રી સહિતના કલાકો જોવા મળશે. દરમિયાન કંગના પોતાની ફિલ્મોના સફળતા માટે નાથદ્વારા ખાતે શ્રીનાથજી ભગવાનના શરણે આશીર્વાદ લેવા પહોંચી હતી.