Site icon Revoi.in

કર્ણાટક રાજ્યમાં આજથી ગૌહત્યા વિરુદ્ધનો કાયદો બનશે  અમલી  – ગુનો કરનાર સામે જેલની સજા અને દંડની જોગવાઈ

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં ગૌહત્યાને લઈને રોષ જોવા મળે છે, ગાયને માતાનું રુપ આપવામાં આવ્યું છે ,દરેક રીતે ગાયનું મહત્વ રહ્યું છે, ત્યારે હવે આજથી કર્ણાટક રાજ્યમાં ગૌહત્યા વિરુદ્ધનો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું આ સમગ્ર બાબતે કહેવું છે કે આ વટહુકમના અમલથી આ વિસ્તારમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં સફળતા પ્રાપ્ત થશે

આ સાથે જ જાણવા મળતી માહિતી પ્રમાણે રાજ્ય સ્ગુલામ મકાનોનું સંચાલન ચાલુ રાખવામાં આવશે તેની સાથે સાથે ભેંસના માંસના સેવન પર કોઈ પ્રતિબંધ ન મૂકવા અંગેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, આ માટે કહેવાઈ રહ્યું છે કે,સક્ષમ સત્તામંડળની ચકાસણી પ્રમાણે 13 વર્ષથી વધુ ઉંમરના નર અને માદા ભેંસોની હત્યા પર પ્રતિબંધ નથી.

કર્ણાટક રાજ્ય છેલ્લા ઘણા સમયથી ગૌહત્યા મામલે સખ્ત વલમ અપનાવી રહ્યું છે ત્.યારે હવે આ કાય.દો અમલી બનતાની સાથે ગ ગોધનની હત્યા કરવા પર કડક સજા અને દંડની ડોગવાઈ કરવામાં આવી છે, ગૌહત્યા માટે ત્રણથી સાત વર્ષ જેલની સજા અને 50 હજારથી લઈને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી  છે.

આ સાથે જ આ ગુનો જો ફરીથી કોઈ કરે છે તો, તેમા માટે સજાની ડોગવાઈ બેગણી કરવામાં આવી છઠે જેમાં સાત વર્ષની જેલ અને એક લાખથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ છે.

આ સમગ્ર બાબતને લઈને કર્ણાટક સરકારે તાજેતરમાં જ જણાવ્યું હતુ કે, “કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેબિનેટ ઓર્ડિનન્સ, 2020ની તમામ જોગવાઈઓ 18 જાન્યુઆરીથી અમલી કરવામાં આવનાર છે

રાજ્ય કર્ણાટકમાં કતલ સંરક્ષણ અને પશુ સંરક્ષણ બિલ-2020ને મંજૂરી ઉલ્લેખનીય છે કે, આપવામાં આવી હતી, જે 9 ડિસેમ્બર, 2020ના રોજ રાજ્ય વિધાનસભામાં પસાર કરવામાં આવી હતી. રાજ્ય સરકારે પોતાના આદેશમાં કહ્યું હતું કે, આ વટહુકમનો ઉદ્દેશ રાજ્યમાં કતલ અને ગૌવંશની સુરક્ષા માટે વ્યાપક કાયદો પૂરો પાડવાનો છે.

સાહિન-