દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક નાગરિકો ઉપર હુમલા અને કાશ્મીરી પંડિતોને ફરીથી નિશાન બનાવવાની ઘટનાને પગલે 115 કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડ્યું છે. આ તમામ કાશ્મીરી પંડિતો પોતાના પરિવાર સાથે જમ્મુ ચાલ્યાં ગયા છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિત કાશ્મીર છોડીને જમ્મુ ચાલ્યાં ગયા છે. આ તમામ સરકારી કર્મચારી છે. સરકારે કહ્યું કે, શિયાળાની શરૂઆત સામે સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ કાશ્મીરથી પલાયન થઈને સરકારી કામકાજ, અભ્યાસ અને અન્ય કારણોસર જમ્મુ રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ડામવા માટે સુરક્ષા જવાનોએ અભિયાન શરૂ કર્યું છે. આ ઉપરાંત અલગાવવાદી નેતાઓની સંપતિની પણ તપાસ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા દળોની સાથે એનઆઈએ જેવી સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને અને ફંડીંગને લઈને તપાસ કરવામાં આવી રહી છે.