Site icon Revoi.in

ભારતીય પેરાલિમ્પિક દળ માટે થીમ સોંગ “કર દે કમાલ તું” નો શુભારંભ

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ભારતીય પેરાલિમ્પિક દળ માટે થીમ સોંગ “કર દે કમાલ તું” નો યુવા બાબતો અને રમતગમત માટેના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શુભારંભ કર્યો હતો. આ ગીત “કર દે કમાલ તું” લખનૌના દિવ્યાંગ ક્રિકેટ ખેલાડી સંજીવ સિંહ દ્વારા રચવામાં અને ગાવામાં આવ્યું છે. અભિવ્યાપકત્વની નિશાની તરીકે ભારતની પેરાલિમ્પિક સમિતિનો વિચાર એવો હતો કે આ ગીતને દિવ્યાંગ સમુદાયમાંથી રચવામાં આવે.

આ પ્રસંગે અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, “ટોક્યોમાં ભારત એનું અત્યાર સુધીનું સૌથી મોટું દળ મોકલ્યું છે- જુદી 9 રમતોમાં 54 પેરા-સ્પોર્ટ્સપર્સન્સ. ભારત તમારી દરેક હિલચાલને નિહાળશે, રમતોત્સવમાં આપની અવિશ્વસનીય સફરને અમે અનુસરીશું. આપણા પેરા-ઍથ્લીટ્સનો સંપૂર્ણ દ્રઢનિશ્ચય એમની વિલક્ષણ માનવ મિજાજને દર્શાવે છે. જ્યારે ભારત માટે રમો છો ત્યારે 130 કરોડ ભારતીયો તમારા માટે ચિઅરિંગ કરી રહ્યા હશે. આપણા પેરા-ઍથ્લીટ્સ એમનું સારામાં સારું શ્રેષ્ઠ આપશે.

આ ગીતના રચયિતા અને ગાયક સંજીવ સિંહે અનુભવ્યું કે આ એમના માટે જ નહીં પણ સમગ્ર સમુદાય માટે ગર્વની ક્ષણ છે. સંજીવ સિંહે કહ્યું હતું કે રિયો 2016 પેરા ગૅમ્સમાં ખેલાડી તરીકે આ ખરેખર તો ડૉ. દીપાની સિદ્ધિ હતી જેણે મને એમના વિશે એક કવિતા લખવા માટે પ્રેરિત કર્યો હતો અને પછી એ કવિતાએ આ થીમ સોંગનો આકાર લીધો. “હું માત્ર ઇચ્છું છું કે આ ગીત પેરા-ઍથ્લીટ્સને સારું કરવા માટે પ્રેરિત કરે. તેઓ એમનાં જીવનમાં પહેલેથી જ વિજેતા છે પણ એક ચંદ્રકથી સમગ્ર દેશ એમની નોંધ લેશે અને દેશને ગર્વ અપાવશે” એમ સંજીવ કહે છે.