- લોકસભાના સ્પિકર પહોચ્યા બહેરીન
- ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
દિલ્હીઃ- લોકસભાના સ્પીકર ઓમ બિરલા શુક્રવારે બહેરીનની રાજધાની મનામા પહોંચી ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે 11 થી 15 માર્ચ દરમિયાન યોજાનારી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની 146મી એસેમ્બલીમાં હાજરી આપવા માટે ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે.
આ સહીત ઓમ બિરલા આજે IPUના પ્રમુખ દુઆર્ટે પચેકો સાથે પણ મુલાકાત કરશે. ત્યાર બાદ સાંજે તેઓ મનામામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. 11 માર્ચે, ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ IPUની એશિયા પેસિફિક જૂથની બેઠકમાં ભાગ લેશે.
મનામામાં તેના રોકાણ દરમિયાન, ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ 12 માર્ચે IPUની 146મી એસેમ્બલીની સામાન્ય ચર્ચામાં પણ હાજરી આપશે. બિરલા એસેમ્બલીને આ વિષય પર સંબોધિત કરશે: “શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સમાવેશી સમાજને પ્રોત્સાહન આપવું: અસહિષ્ણુતા સામે લડવું” . આ ઉપરાંત, બિરલા અનેક દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. અન્ય મહાનુભાવોમાં, બિરલા G20 દેશોની સંસદોના પ્રમુખ અધિકારીઓને મળશે અને તેમને આ વર્ષના અંતમાં નવી દિલ્હીમાં યોજાનારી P20 સમિટમાં વ્યક્તિગત રીતે આમંત્રિત કરશે.
શેડ્યૂલ મુજબ, લોકસભા અધ્યક્ષ શ્રીનાથજી (શ્રી કૃષ્ણ) મંદિરની પણ મુલાકાત લેશે, જે બહેરીનના મનામાના મધ્યમાં સ્થિત એક 200 વર્ષ જૂના હિન્દુ મંદિર છે.વધુ જાણકારી મુજબ બિરલા બહેરીનના રાજા વતી પ્લેનરી હોલમાં યોજાનારી મેળાવડાના ઉદઘાટન સમારોહમાં પણ હાજરી આપવાના છે. આ દરમિયાન, લોકસભા અધ્યક્ષ ઘણા દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.