Site icon Revoi.in

મધ્યપ્રદેશ:જબલપુરની હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા નાસભાગ,અત્યાર સુધીમાં આઠ દર્દીઓના મોત

Social Share

ભોપાલ:મધ્યપ્રદેશના જબલપુરની એક હોસ્પિટલમાં આગની ઘટનામાં આઠ દર્દીઓના મોત થયા છે. આ હૃદયદ્રાવક ઘટના જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલની છે.આગના સમાચાર મળતા જ સમગ્ર હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી.સર્વત્ર અફરાતફરીનો માહોલ હતો.

આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી.જે બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

કાઉન્સિલરના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 8-9 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.હોસ્પિટલમાં આગના સમાચાર મળતાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જબલપુરનો સંપર્ક કર્યો હતો. કલેકટર સાથે ફોન પર વાત કરી હતી.